ફિક્સ પગારદારો, આઉટસોર્સિંગ કર્મચારી,સફાઈ કર્મચારી,આશાવર્કરો,આંગણવાડી કર્મચારી,માનદવેતન કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબ લઘુતમવેતન ના આપતા લોકો સરકાર વિરુદ્ધ ગુસ્સે ભરાયા છે.
ટ્વીટર ટાઉનહોલમાં લોકોએ ફિક્સ પગાર અને બેરોજગારીને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીને સવાલો કર્યા છતાં કોઇ પરિણામ આવ્યું નથી. ૨ ઓક્ટોમ્બરના રોજ ગાંધીનગર ખાતે અનશન પર બેસવાની મંજૂરી ના આપી ૨૦૦ કર્મચારીઓની અટકાયત કરી હતી. સરકારની આ તમામ હરકતના કારણે ગુજરાતના યુવાનો અને કર્મચારીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.