ગાંધીનગરઃ આગામી પહેલી માર્ચે ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપે રાજ્યસભાના ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે દિનેશભાઈ પ્રજાપતિ અને રામભાઈ મોકરીયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. લોકોના સહયોગથી વિકાસના કામો કરીશું, તેમ રામાભાઈ મોકરીયાએ જણાવ્યું હતું. તન-મન-ધનથી હું કામ કરીશ, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.


નોંધનીય છે કે, ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ અને ભાજપના નેતા અભય ભારદ્વાજના નિધનને પગલે આ બેઠકો ખાલી પડી છે. આ બેઠકો ખાલી પડતા આગામી પહેલી માર્ચે ચૂંટણી યોજાવાની છે.

.