ગાંધીનગરઃ ગુજરાત સરકારે રૂપાણી સરકારે મોટા પાયે બદલી કરી છે. રાજ્યના 24 ક્લાસ વન અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા કરાયેલા ઠરાવ મુજબ સચિવાલય સેવા સંવર્ગ-૧ના ૨૪ જેટલા અધિક સચિવ, સંયુક્ત સચિવ અને નાયબ સચિવની બદલી કરવામા આવી છે. જેમાં મહેસૂલ વિભાગ, મહિલા અને બાળ, રમત ગમત, શિક્ષણ , સામાન્ય વહિવટ, નાના  તથા ગૃહ  અને ઉદ્યોગ-ખાણ વિભાગનો સમાવેશ  થાય છે. શિક્ષણ વિભાગમા પણ ૩ સચિવોની બદલી થઈ છે.