રૂપાણી સરકારે કરી મોટા પાયે બદલી, રાજ્યના 24 ક્લાસ વન અધિકારીની બદલી , જાણો કોને ક્યાં મૂકાયા ?
રૂપાણી સરકારે કરી મોટા પાયે બદલી, રાજ્યના 24 ક્લાસ વન અધિકારીની બદલી , જાણો કોને ક્યાં મૂકાયા ?
એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
સચિવાલય સેવા સંવર્ગ-૧ના ૨૪ જેટલા અધિક સચિવ, સંયુક્ત સચિવ અને નાયબ સચિવની બદલી કરવામા આવી છે. જેમાં મહેસૂલ વિભાગ, મહિલા અને બાળ, રમત ગમત, શિક્ષણ , સામાન્ય વહિવટ, નાના તથા ગૃહ અને ઉદ્યોગ-ખાણ વિભાગનો સમાવેશ થાય છે.
ગાંધીનગરઃ ગુજરાત સરકારે રૂપાણી સરકારે મોટા પાયે બદલી કરી છે. રાજ્યના 24 ક્લાસ વન અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા કરાયેલા ઠરાવ મુજબ સચિવાલય સેવા સંવર્ગ-૧ના ૨૪ જેટલા અધિક સચિવ, સંયુક્ત સચિવ અને નાયબ સચિવની બદલી કરવામા આવી છે. જેમાં મહેસૂલ વિભાગ, મહિલા અને બાળ, રમત ગમત, શિક્ષણ , સામાન્ય વહિવટ, નાના તથા ગૃહ અને ઉદ્યોગ-ખાણ વિભાગનો સમાવેશ થાય છે. શિક્ષણ વિભાગમા પણ ૩ સચિવોની બદલી થઈ છે.