અનામત વર્ગના લોકોના આંદોલનને ખત્મ કરવા માટે સરકારે આ પરિપત્ર રદ કરવાની જાહેરાત કરી એ સાથે જ બિન અનામત વર્ગના લોકોએ આંદોલન શરૂ કર્યું હતું. દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના ધારાસભ્યો 4 વાગ્યા સુધીમાં પોતાનો મત સ્પષ્ટ કરે.
બીજી તરફ કોગ્રેસે સરકાર પર કૌભાંડીઓને છાવરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. સરકારી નોકરીઓમાં ભરતી કૌભાંડના કોગ્રેસે પુરાવા આપ્યા હતા. ખોટી માર્કશીટ,અભ્યાસક્રમ અને પ્રમાણપત્રના આધારે રૂપિયા લઈને નોકરીઓ આપી હોવાનો કોગ્રેસે આરોપ લગાવ્યો હતો.
આ અગાઉ ગઇકાલે એલઆરડી પરીક્ષામાં પાસ થયેલી 254 યુવતીઓ હાઈકોર્ટમાં પહોંચી હતી અને રાજ્ય સરકાર પાસે નિમણૂંક પત્રની માંગ કરી હતી. આ મામલે દિનેશ બાંભણિયાએ કહ્યું કે, સરકાર અમારી માંગણી નહિ સ્વીકારે તો અમે 120 દિવસના ઉપવાસ પર ઉતરીશું. પોલીસે કરણી સેનાના રાજ શેખાવત અને દિનેશ બાભણિયાની અટકાયત કરી હતી. જોકે, થોડા સમય બાદ તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા.