શામળાજીઃ અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિર પરિસરમાં આવેલી વાવમાં પડી જતા મહિલાનું મોત નીપજ્યું છે. મહિલા વાવ ઉપરના પથ્થર ઉપર ઉભા રહી ફોટો પડાવતા હતા. આ જ સમયે પગ લપસતાં મહિલા વાવમાં પડી જતા માથામાં ઇજાથી મોત નીપજ્યું હતું. ભરૂચના ૪૫ વર્ષીય શિલ્પાબેન દક્ષેશભાઈ રાંદેરિયા પરિવાર સાથે દર્શને આવ્યા હતા.


૪૫ વર્ષીય મહિલાના મોતથી દર્શને આવેલા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મંદિર પરિસરમાં આવેલી વાવા ચારે બાજુથી ખુલ્લી હોવાને પગલે અકસ્માતે મહિલાનું મોત નીપજ્યું છે. શામળાજી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.