ગાંધીનગર:  રાજ્ય સરકારના મંત્રીઓને અંગત સચિવ અને અંગત મદદનીશની ફાળવણી કરવામાં આવી છે.  16 મંત્રીઓ માટે અધિકારીઓની નિમણુક કરવામાં આવી છે.  કેબિનેટ મંત્રીઓને 3 અધિકારીઓ જ્યારે રાજ્ય મંત્રીઓને 2 અધિકારીઓ ફાળવાયા છે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના અંગત સચિવ તરીકે કેકે. પટેલ(નાયબ સચિવ) અને અધિક અંગત સચિવ તરીકે નિરવ પટેલ(મામલતદાર)ની નિમણુક કરવામાં આવી છે. તો બીજી તરફ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અંગત સચિવ તરીકે બાલમુકુંદ પટેલ(અધિક કલેક્ટર) અને અધિક અંગત સચિવ કૌશિક ત્રિવેદી(નાયબ સચિવ)ની નિમણુક કરવામાં આવી છે.










ગુજરાત બજેટની તૈયારી થઈ શરૂ


ગુજરાતના  બજેટ સત્રને લઈ વિભાગોએ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કૃષિ વિભાગે આગામી બજેટને લઈ તૈયારીઓ શરૂ કરી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કિસાન સંઘના આગેવાનો સાથે બેઠક યોજી હતી અને ખેડૂતલક્ષી યોજનાઓ તથા સમસ્યાઓ અંગે વિગતો મેળવી હતી. આગામી બજેટમાં ખેડૂતો માટે કઈ યોજનાઓ પર વધુ ભાર મૂકવો એ અંગે પણ ચર્ચા કરાઈ હતી. ખેડૂત સંગઠનો સાથે ચર્ચા વિચારણા બાદ વિભાગના અધિકારીઓ સાથે પણ બજેટને લઈને સમીક્ષા કરાશે. આ ઉપરાંત નાણા મંત્રી દ્વારા દરેક વિભાગના મંત્રી અને અધિકારીઓ સાથે બજેટને લઈને બેઠકો શરૂ થઈ છે.



જીરુંનો રેકોર્ડ બ્રેક ભાવ મળતાં ખેડૂતો ખુશખુશાલ


 રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં જીરાના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા છે. એક મણ જીરાનો ભાવ 6300 રૂપિયા મળતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. વેપારી આગેવાનોના મતે ઐતિહાસિક ભાવ છે,
પ્રથમવાર જીરાનો ભાવ 6000 ને પાર થયો છે. જીરાની મોટા પ્રમાણમાં માગને લઇને ભાવમાં વધારો થયો છે. જીરાના ભાવમાં વધારો થતાં સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. હાલ ખેડૂતો અને વેપારીઓનું જીરું સૌરાષ્ટ્ર યાર્ડમાં આવી રહ્યું છે. આ પહેલા જીરૂનો ભાવ 5000 થયો હતો.


જમીન અને આબોહવા


જીરૂના પાકને ખાસ કરીને સારા નિતારવાળી રેતાળ, ગોરાડુ તેમજ સારી નિતાર શક્તિવાળી મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ક્ષારીય જમીનમાં પણ જીરાની ખેતી કરી શકાય છે. જીરૂના પાકને ચોખું, ઝાકળમુક્ત, સુકું અને ઠંડુ હવામાન માફક આવે છે. વૃધ્ધી તબકકાથી દાણો બેસવાની અવસ્થા દરમ્યાન વાદળ વિનાનું ઠંડુ અને સુકુ હવામાન ખૂબ જ અનુકૂળ છે. જીરૂના પાકને ઉડી ખેડની જરૂર નથી, પરતું વર્ષમાં એક્વાર ઉડી ખેડ કરવી હિતાવહ છે. કરબની આડી અને ઉભી બે થી ત્રણ ખેડ કરી સમાર મારી ખેતર સમતળ કરવું. સાંકડા અને નાના ક્યારા બનાવવા. જીરૂના ખેતરમાં ભારે મોટું ઝાડ, ભારે ઘાટી ઉંચી થોરની જીવંત વાડ હોવી જોઈએ નહી. જો ખેતરમાં કે શેઢા ઉપર ભારે મોટું ઝાડ હોય તો છટણી કરવી હિતાવહ છે. જીરૂના ખેતરની બાજુમાંથી સતત વહેતો પાણીનો ઢાળીયો કે બાજુમાં રાયડો, રજકો કે ઘઉંનું વાવેતરપણ હિતાવહ નથી.


બીજની પસંદગી


જનીનિક તેમજ ભૌતિક શુધ્ધતાવાળું, સારી સ્કૂરણશક્તિ ધરાવતું અને શુધ્ધ અને પ્રમાણિત બિયારણએ વધુ અને નફાકારક ઉત્પાદનની ચાવી છે. તેથી પ્રમાણિત બિયારણ જ ખરીદ કરવાનો આગ્રહ રાખવો. ખેડૂતોની સુધારેલા બિયારણોની માંગ પણ વધવા પામેલ છે ત્યારે, છેલ્લામાં છેલ્લી ભલામણ કરેલ જીરૂ પાકની જાતોની ખાસિયતોની જાણકારી બિયારણ પસંદગી માટે ખૂબ જ જરૂરી છે.


જીરૂ એ બીજ મસાલા પાકોમાં ખૂબ જ અગત્યનો અને વિદેશી હૂંડિયામણ કમાવી આપનાર મહત્વનો રોકડીયો પાક છે. જીરૂએ સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં રવિ (શિયાળુ) રૂતુમાં થતો મોખરાનો પાક છે. જીરૂનો પાક અન્ય રવિ પાકોની સરખામણીમાં ટૂંકા ગાળામાં, ઓછી મહેનતે અને ઓછા ખર્ચે તગડું વળતર આપે છે.