અમદાવાદઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં ગર્ભગૃહની જમીન હિંદુઓની હોવાનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે સર્વસંમતિથી આ ચુકાદો આપ્યો છે. સીજેઆઈ ગોગોઈએ કહ્યું, હિન્દુ-મુસ્લિમ વિવાદિત સ્થાનને જન્મભૂમિ માને છે પરંતુ આસ્થાથી માલિકી હક નક્કી ન કરી શકાય. પીઠે કહ્યું, તોડી પાડવામાં આવેલું માળખું જ રામનું જન્મસ્થાન છે, હિન્દુઓની આ આસ્થા નિર્વિવાદિત છે. પીઠે કહ્યું છે કે, મુસ્લિમ પક્ષને મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં જ 5 એકર વૈકલ્પિક જમીન ફાળવવામાં આવશે.


સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કર્યા હતા. તેમણે લખ્યું, શ્રી રામ જન્મભૂમિ પર સર્વસંમતિથી આવેલા માનનીય સર્વોચ્ચ અદાલતના ફેંસલાનું સ્વાગત કરીએ છીએ, સમ્માન કરીએ છીએ. હું આ માટે સર્વોચ્ચ અદાલતના તમામ ન્યાયમૂર્તિનો આભાર માનું છું. આ નિર્ણય ભારતી એકતા અને અખંડતાને વધુ બળ આપશે.

અન્ય ટ્વિટમાં રૂપાણીએ લખ્યું, શ્રી રામ જન્મભૂમિ પર સર્વસંમતિથી આવેલા સર્વોચ્ચ અદાલતના ફેસંલા પર ગુજરાતના તમામ સમુદાયો અને ધર્મના લોકોને આ નિર્ણયનો સહજતાની સ્વીકાર કરવાની તથા શાંતિ અને સદભાવના બનાવી રાખવાની અપીલ કરું છું. આગામી દિવસોમાં ભારત “એક ભારત-શ્રેષ્ઠ ભારત” બને એવો આપણે સંકલ્પ કરીએ.


અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ ટ્વિટ કરીને લખ્યું, શ્રી રામ જન્મભૂમિ પર સર્વ સંમતિથી આવેલ સર્વોચ્ચ ન્યાયાલયના ઐતિહાસિક નિર્ણયનું હું સ્વાગત કરું છું. આ નિર્ણય થી ભારતની અખંડતાને નવી દિશા મળશે. દેશના તમામ સંપ્રદાયના લોકોએ પણ આ નિર્ણય શાંતિપૂર્ણ રીતે સ્વીકાર્યો છે ત્યારે સર્વ ને ખૂબ ખૂબ અભિનંદન.

સુપ્રીમ કોર્ટના ફેંસલાને ઉમા ભારતીએ ગણાવ્યો દિવ્ય, અશોક સિંઘલ અને લાલકૃષ્ણ અડવાણી માટે કહી આ વાત