Cyclone Biparjoy Live Updates: દિવના દરિયાનું રૌદ્ર રૂપ, ખુકરી નજીક દરિયો બન્યો ગાંડોતૂર

ગુજરાતના દરિયાકાંઠાની વાવાઝોડાના અંતરમાં  વધારો થયો છે. જોકે બિપરજોય વાવાઝોડાનો ખતરો યથાવત છે

gujarati.abplive.com Last Updated: 14 Jun 2023 01:45 PM

બ્રેકગ્રાઉન્ડ

ગાંધીનગરઃ ગુજરાતના દરિયાકાંઠાની વાવાઝોડાના અંતરમાં  વધારો થયો છે. જોકે બિપરજોય વાવાઝોડાનો ખતરો યથાવત છે.  15 જૂને સાંજ સુધીમાં બિપરજોય વાવાઝોડું ટકરાશે. વાવાઝોડાની ગતિ ઘટીને 5 કિમી પ્રતિ કલાક થઈ ગઇ...More

અંબાલાલ પટેલની આગાહી

વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કેટલીક આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યું કે. “બિપરજોય વાવાઝોડું આવતીકાલે એટલે 15 જૂને 4થી 8 સુધીમાં લેન્ડફોલ કરશે અને વાવાઝોડા દરમિયાન પવનની ગતિ ભારે રહેવાથી તેને હળવાશથી લેવાની ભૂલ ન કરવી.  વાવાઝોડું હવે  ગુજરાતથી દુર ફંટાવાની શક્યતા નહીંવત છે. તેથી સાવધાન રહેવું જરૂરી છે. વાવાઝોડુ કદાચ ફંટાઇ જાય તો પણ નુકસાને નકારીન  શકાય કારણ કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં તેની અસર જોવા મળશે. આ વાવાઝોડું અતિભીષણ છે”