Cyclone Biparjoy Live Updates: દિવના દરિયાનું રૌદ્ર રૂપ, ખુકરી નજીક દરિયો બન્યો ગાંડોતૂર
ગુજરાતના દરિયાકાંઠાની વાવાઝોડાના અંતરમાં વધારો થયો છે. જોકે બિપરજોય વાવાઝોડાનો ખતરો યથાવત છે
gujarati.abplive.com Last Updated: 14 Jun 2023 01:45 PM
બ્રેકગ્રાઉન્ડ
ગાંધીનગરઃ ગુજરાતના દરિયાકાંઠાની વાવાઝોડાના અંતરમાં વધારો થયો છે. જોકે બિપરજોય વાવાઝોડાનો ખતરો યથાવત છે. 15 જૂને સાંજ સુધીમાં બિપરજોય વાવાઝોડું ટકરાશે. વાવાઝોડાની ગતિ ઘટીને 5 કિમી પ્રતિ કલાક થઈ ગઇ...More
ગાંધીનગરઃ ગુજરાતના દરિયાકાંઠાની વાવાઝોડાના અંતરમાં વધારો થયો છે. જોકે બિપરજોય વાવાઝોડાનો ખતરો યથાવત છે. 15 જૂને સાંજ સુધીમાં બિપરજોય વાવાઝોડું ટકરાશે. વાવાઝોડાની ગતિ ઘટીને 5 કિમી પ્રતિ કલાક થઈ ગઇ છે. વાવાઝોડા પહેલા આજથી પાંચ દિવસ વરસાદ વરસશે. સૌરાષ્ટ્ર- કચ્છમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડુ દેવભૂમિ દ્વારકાથી 300 કિમી, પોરબંદરથી 340 કિમી, જખૌ પોર્ટથી 310 કિમી, નલિયાથી 330 કિમી દૂર છે.કચ્છના જખૌ બંદર પરથી તમામને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. જખૌમાં 522 બોટને સુરક્ષિત સ્થળે કાંઠા પર રખાઈ છે. બોટ રિપેરિંગનું કામ કરનાર 100 કારીગરોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. કંડલામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. કચ્છમાં માંડવીનો દરિયો તોફાની બન્યો છે. માંડવી દરિયાકિનારે ભારે પવન ફુંકાવાનો શરૂ થયો છે. દરિયાના મોજામાં પણ ભારે કરંટ જોવા મળ્યો છે. ભારે પવનના કારણે માંડવી બંદર ઉપર આવેલ ખાણીપીણાંનાં સ્લોટોના પતરા પણ ઉડ્યો છે. આજે કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બિપરજોય વાવાઝોડાને લઈને જખૌ બંદર પર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. જખૌ બંદર પર જવા પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે. રાઉન્ડ ધ ક્લોક બંદરના રસ્તા પર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. માંડવી બંદર પર ભારે પવન ફૂંકાયો છે. આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહીબિપરજોય વાવાઝોડાને લઈને ગુજરાતમાં હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલથી કચ્છ,દ્વારકા અને ગુરુવારે દ્વારકા સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તો આગામી પાંચ દિવસ સુધી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઘણા જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહીઆ સિવાય ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદી વાતાવરણ રહેશે. અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદપોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. બખરલા,બગવદર,મઢવાડા,મજાવાણા,સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે. વરસાદની સાથે ભારે પવન જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. સોમવારથી સતત વરસાદી માહોલથી ખેતરો છે. દેવકા નદીમાં નવા નીર આવ્યા છે. જિલ્લાના તળાવો અને ચેકડેમ પણ છલકાયા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અંબાલાલ પટેલની આગાહી
વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કેટલીક આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યું કે. “બિપરજોય વાવાઝોડું આવતીકાલે એટલે 15 જૂને 4થી 8 સુધીમાં લેન્ડફોલ કરશે અને વાવાઝોડા દરમિયાન પવનની ગતિ ભારે રહેવાથી તેને હળવાશથી લેવાની ભૂલ ન કરવી. વાવાઝોડું હવે ગુજરાતથી દુર ફંટાવાની શક્યતા નહીંવત છે. તેથી સાવધાન રહેવું જરૂરી છે. વાવાઝોડુ કદાચ ફંટાઇ જાય તો પણ નુકસાને નકારીન શકાય કારણ કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં તેની અસર જોવા મળશે. આ વાવાઝોડું અતિભીષણ છે”