બનાસકાંઠા: અમીરગઢના બાલુન્દ્રા બનાસ નદીના પુલ નજીક ઝાડીઓમાંથી યુવકની લાશ મળી આવી છે. ઝાડીઓમાંથી લાશ મળતાની જાણ અમીરગઢ પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. અમીરગઢ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. યુવકની લાશ મળી આવતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. જો કે યુવકનું મોત કેવી રીતે થયું તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. આ ઉપરાંત યુવકની ઓળખ પણ તપાસ બાદ જ થશે.


રાજકોટમાં મહિલાનો ચોંકાવનારો આક્ષેપ


 રાજકોટમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ પોતાના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાએ પોતાના પતિ પર આરોપ લગાવતા કહ્યું કે, મારો પતિ દારૂનો નશો કરી અકુદરતી સેક્સ માણે છે. આ ઉપરાંત પ્રાઈવેટ પર પાર્ટ પર માર મારતો હોવાનો આરોપ લગાવ્યો છે. આ મહિલાના સંતાનોમાં બે દીકરીઓ છે. પોતાનો પતિ મોબાઈલમાં બીભત્સ વીડિયો જોઈને વિચિત્ર માંગ કરતો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. આ ઉપરાંત સગીર દીકરીઓની હાજરીમાં જાતીય સંબંધ બાંધવાની માંગ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. પરિણીતાના આક્ષેપ બાદ પોલીસે ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આણંદ વડોદરા રેલવે લાઇન ઉપર 45 વર્ષના વ્યક્તિનું ટ્રેનની અડફેટે મોત


આણંદ વડોદરા રેલવે લાઇન ઉપર 45 વર્ષના વ્યક્તિનું ટ્રેનની અડફેટે મોત થયું છે. ઘટનાની જાણ આણંદ શહેર પોલીસને થતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકની ઓળખ માટે પોલીસે પરિજનોની શોધખોળ હાથ ધરી છે. 45 વર્ષના વ્યક્તિ ટ્રેનની અફડેટે આવતા ગંભીર ઇજાઓ પહોંચી હતી જે બાદ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી.


મોરબીમાં વિધર્મી યુવકે યુવતી સાથે બાંધ્યા શરીર સંબંધ


રબીમાં સગીરાને ખોટું નામ આપી વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી.  યુવકે અશોક નામ આપી યુવતી સાથે પાંચ વર્ષ પહેલા વાતચીત શરુ કરી હતી. બાદમાં ઈન્દિરાનગર વિસ્તારમાં બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હતા અને માતા અને ભાઈને પણ મારી નાખવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી અવનારવાર દુષ્કર્મ આચર્યું હતું. જો કે બાદમાં યુવતીને ખબર પડી કે યુવકનું નામ આશીફ મામદભાઈ મકરાણી છે. જેને લઈ યુવતીએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોસ્કો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


ઝારખંડમાં શ્રદ્ધા જેવો હત્યાકાંડ, પતિએ પત્નીના ટુકડા કરીને ફેંકી દીધા


ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં દિલ્હીની શ્રદ્ધાની હત્યા જેવો મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિએ તેની બીજી પત્નીની હત્યા કરી અને તેના શરીરના ઘણા ટુકડા કરી નાખ્યા. કેસની વધુ વિગતો આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "સાહિબગંજની 22 વર્ષની આદિવાસી મહિલાના મૃતદેહના 12 ટુકડાઓ મળી આવ્યા છે. મૃતદેહના માથા સહિત કેટલાક ભાગોની હજુ પણ શોધ ચાલી રહી છે. આરોપી પતિ દિલદાર અંસારીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, મૃતક તેની બીજી પત્ની હતી." પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે (17 ડિસેમ્બર) સાંજે 6 વાગ્યે સાંથલી મોમીન ટોલા વિસ્તારમાં એક જૂના મકાનમાંથી એક મહિલાનો મૃતદેહ ટુકડાઓમાં મળી આવ્યો હતો. આરોપી મહિલાને લગ્નના બહાને લઈ આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.