Election 2024 Live Update: ગાંધીનગર મનપા બનશે કૉંગ્રેસ મુક્ત, કૉંગ્રેસના બે કોર્પોરેટરો જોડાશે ભાજપમાં

Election 2024 Live Update: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંગળવારે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી

gujarati.abplive.com Last Updated: 27 Mar 2024 12:04 PM
ગાંધીનગર મનપા કૉંગ્રેસ મુક્ત બનશે

ગાંધીનગર મનપા કૉંગ્રેસ મુક્ત બનશે. કૉંગ્રેસના બે કોર્પોરેટરો ભાજપમાં જોડાશે. અંકિત બારોટ, ગજેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે. કૉંગ્રેસ કોર્પોરેટર તરીકે રાજીનામું આપી બે દિવસમાં બીજેપીમાં સામેલ થશે. થોડા દિવસ અગાઉ અંકિત બારોટે સી.આર.પાટીલ સાથે કરી હતી મુલાકાત

સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવારનો વિરોધ યથાવત

સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવારનો વિરોધ યથાવત છે. આજે યોજાનારી ભાજપની બેઠકમાં રજૂઆત કરાશે. ભાજપના પાયાના કાર્યકર્તાઓને ટિકિટ આપવા રજૂઆત કરાશે. ગઈકાલે હોદ્દેદારો,કાર્યકર્તાઓએ ઉમેદવારનો વિરોધ કર્યો હતો.

સી.આર.પાટીલ પ્રચંડ પ્રવાસ કરશે.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પ્રચંડ પ્રવાસ કરશે. તેઓ તમામ લોકસભા બેઠક પર ઉમેદવારોને સાથે રાખી પ્રવાસ કરશે. 'વન-ડે,વન-ડિસ્ટ્રિક્ટ'ના તર્જ પર પાટીલનો પ્રવાસ રહેશે.

બનાસકાંઠા લોકસભા ચૂંટણીને લઈ ભાજપ- કોંગ્રેસે મહિલા ઉમેદવાર મેદાને ઉતાર્યા છે

બનાસકાંઠા લોકસભા ચૂંટણીને લઈ ભાજપ- કોંગ્રેસે મહિલા ઉમેદવાર મેદાને ઉતાર્યા છે.  બનાસની બેન અને બનાસની દિકરી વચ્ચેનો જંગ જામ્યો છે. ત્યારે ભાજપના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરીએ પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. પાલનપુરના ભૂતેડી ગામે જાહેર સભાને સંબોધતા રેખાબેન ચૌધરીએ કેન્દ્રની મોદી સરકારની સિદ્ધીઓ ગણાવી હતી.  આ ઉપરાંત બનાસની દીકરી તરીકે જનતા ખોબલે ખોબલે મત આપી આર્શિવાદ પાઠવવા અપીલ કરી હતી.

લોકસભાની ચૂંટણીને લઈ પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે

લોકસભાની ચૂંટણીને લઈ પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ઉમેદવારો સભાઓ ગજવી રહ્યા છે. આ વચ્ચે લોકસભાની ચૂંટણીમાં ફરી એકવાર ટકાવારીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. પાટણના ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી મંગળવારના ચાણસ્માના પીંપળ ગામે પ્રચારમાં હતાં. જ્યાં જાહેરમાં નિવેદન આપ્યું કે સાંસદની ગ્રાન્ટ મુદ્દે ડેલિકેટ, સરપંચ કે સામાન્ય નાગરિક કોઈ પાસેથી મે ટકાવારી માંગી નથી.  તમે મને સાંસદ બનાવ્યો, જાહેર જીવનના મુદ્દા સમજી, હોદ્દાને છાજે તે રીતે ન્યાય અપાવ્યો છે.  હાલ તો ભરતસિંહ ડાભીના નિવેદનને લઈ અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યા છે

ધોરાજી,ઉપલેટામાં લાગેલા પોસ્ટરને લઈને રાજનીતિ શરૂ

ધોરાજી,ઉપલેટામાં લાગેલા પોસ્ટરને લઈને રાજનીતિ શરૂ થઇ ગઇ છે. ભાજપે પોરબંદર, રાજકોટ કલેક્ટરને કરી લેખિત ફરિયાદ કરી હતી. ભાજપે રાજ્ય ચૂંટણી પંચને લેખિત ફરિયાદ કરી હતી અને પોસ્ટ લગાવનારા વિરૂદ્ધ પગલા લેવાની માંગ કરી હતી. બેનામી પોસ્ટર લગાવી તટસ્થ ચૂંટણી પ્રક્રિયામાં અડચણ ઉભી કરવાનો આરોપ લગાવાયો હતો.

શિવસેના (UBT)એ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની જાહેરાત કરી

લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષો પોતપોતાની તૈયારીઓ કરી રહ્યા છે. તમામ પક્ષો ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. હવે આ યાદીમાં શિવસેના (UBT)નું નામ પણ જોડાઈ ગયું છે. વાસ્તવમાં, પાર્ટીએ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની જાહેરાત કરી છે.


શિવસેનાએ અમોલ કીર્તિકરને જ્યાંથી કોંગ્રેસ નેતા સંજય નિરુપમ ટિકિટ માંગી રહ્યા હતા ત્યાંથી ટિકિટ આપી છે. શિવસેનાએ બુલઢાણાથી નરેન્દ્ર ખેડકર, દક્ષિણ મુંબઈથી અરવિંદ સાવંત, પરભણી લોકસભા બેઠક પરથી સંજય જાધવ, યવતમાલ વાશિમથી સંજય દેશમુખ, સાંગલીથી ચંદ્રહર પાટીલ અને હિંગોલી બેઠક પરથી નાગેશ પાટીલને મેદાનમાં ઉતાર્યા છે

ઉત્તર ગુજરાતમાં ભાજપમાં ભડકો યથાવત છે

સાબરકાંઠા, પોરબંદર અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક બાદ હવે વિધાનસભા બેઠકો પર પણ ભાજપમાં ભડકો થયો છે. ઉત્તર ગુજરાતમાં ભાજપમાં ભડકો યથાવત છે, આજે વિજાપુર બેઠકને લઇને ભાજપમાં જ્વાળા ફાટી નીકળી છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે ભાજપે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાં વિજાપુર બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડાને ટિકીટ આપતા ભાજપના કાર્યકરોમાં રોષ ફેલાયો છે. ખાસ વાત છે કે, પાંચેય વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને જ ઉમેદવાર બનાવ્યા છે. 

બ્રેકગ્રાઉન્ડ

Election 2024 Live Update: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંગળવારે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં 156 પૈકીના 55 ધારાસભ્ય ગેરહાજર રહ્યા હતાં. પાટીલે આ બેઠકમાં સૌને પૂછ્યું હતું કે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકમાં દરેક સંસદીય ક્ષેત્રમાં કોઈને પાંચ લાખની લીડ મેળવવામાં મુશ્કેલી લાગતી હોય તો મને કહેજો. જેના જવાબમાં કોઈએ ના પાડી ન હતી.


ત્યારે પ્રદેશ અધ્યક્ષ પાટીલે કહ્યું હતું કે  અત્યારે પાંચ લાખની લીડ માટે પૂછ્યું ત્યારે કોઈએ ના પાડી નથી પણ પછી પોણા પાંચ લાખની પણ લીડ જો આવી તો કોઈનું બહાનું ચલાવી લઇશ નહીં, તેવી સ્પષ્ટ શબ્દમાં ચીમકી આપી હતી. તો પાંચ લાખથી વધારે લીડના લક્ષ્યાંકને પહોંચી વળવા પાટીલે આ બેઠકમાં દરેક ધારાસભ્યને પોતાના મતક્ષેત્રમાં એક લાખ મતથી વધુની લીડ મેળવવાનો લક્ષ્યાંક આપ્યો હતો. તો આ માટે રણનીતિ અને વ્યવસ્થાની છણાવટ કરતા પાટીલે સૌને ડમી મતદારને મતદાન કરતા રોકવા, પેજ કમિટિનો સંપૂર્ણતઃ ઉપયોગ કરવા અને સભા કરીને પ્રચાર કરી માહોલ બનાવવા કહ્યું હતું. આ બેઠકમાં ત્રણ દિવસમાં લાભાર્થી અને પેજ કમિટિ સભ્યોને સંપર્ક પૂર્ણ કરવા આદેશ આપ્યો છે.


પાટીલે કહ્યું કે તમામ ધારાસભ્યને તેમના મતવિસ્તારમાં એક એક લાખની લીડ મેળવવા કહ્યું હતું. કોઈ તકલીફ હોય તો અત્યારથી કહી દેજો, જેથી તેનું નિરાકરણ કરી શકાય, બાકી પાંચ લાખથી ઓછી લીડ સ્વીકાર્ય નથી.


ગાંધીનગર ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સમર્થનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોડકદેવ વિસ્તારની સોસાયટીઓના ચેરમેન, સેક્રેટરી અને આગેવાનો સાથે સંવાદ કર્યો હતો.  જેમાં કેન્દ્રની મોદી સરકારની સિદ્ધીઓ ગણાવી હતી. આ સાથે જ ત્રીજીવાર પ્રધાનમંત્રી બનતાની સાથે જ દેશનું અર્થતંત્ર વિશ્વમાં ત્રીજા ક્રમે આવી જશે તેવો વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો. તો કેન્દ્રીય ગૃહમંત્રીના આયોજનના પણ  વખાણ કરતા કહ્યું કે અમિતભાઈ શાહ પાસેથી આયોજન કરવાનું શીખવું જ રહ્યું.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.