Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉંટ ડાઉન  શરૂ થઈ ગયું છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 6 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યાં છે. આજે તેમનો ત્રીજો દિવસ છે.  ત્યારે બીજી બાજુ પીએમ મોદી  31મી ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે.


 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  આગામી 31મી ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ ચૂંટણી પહેલાં 3 કાર્યક્રમો કરશે. મલુપુરમાં 4 ખાતમૂહૂર્ત કરીને જંગી સભાને સંબોધશે તથા કેવડિયામાં સરદાર જયંતિએ એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ત્યાર બાદ તેઓ દેશના ભાજપના કાર્યકરોને દિલ્હીથી સંબોધશે. પછી જ ગુજરાતની ચૂંટણીની જાહેરાત થશે એવો તર્ક છે 

સરદાર જયંતિએ પરંપરા મુજબ કેવડિયામાં એકતા દિવસ સવારે પરેડ સાથે ઊજવાશે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી પણ સામેલ થાય તેવી શક્યતા ખરી. દર વર્ષની માફક કેવડિયામાં પ્રધાનમંત્રી  IAS પ્રોબેશનર્સને પણ સંબોધશે.

કેવડિયાથી પ્રધાનમંત્રી  બપોરે અમદાવાદ એરપોર્ટ આવી ત્યાંથી બપોરના ત્રણ વાગે થરાદના મલુપુર ગામના હેલિપેડ ખાતે તેઓ જાહેરસભાને સંબોધશે.

થરાદમાં ચાર યોજનાઓનું ખાતમુહૂર્ત અને ત્રણ યોજનાઓની જાહેરાત કરશે.

ખાતમુહૂર્ત થનારી ચારે યોજના સિંચાઈને લગતી છે, જેમાં રૂ. 1,566 કરોડની કસરા-દાંતીવાડા નર્મદા પાઇપલાઇન યોજના, રૂ. 191 કરોડની ડીંડરોલની મુકતેશ્વર ડેમ સુધીની નર્મદા પાઇપલાઇન યોજના, નર્મદા નિગમની રૂ. 88 કરોડની 32 કિમીની સૂઈગામ નર્મદા બ્રાન્ચ કેનાલ અને રૂ. 13 કરોડની કાંકરેજ-દિયોદર-પાટણ માટે પાણી પુરવઠા બોર્ડની યોજના સામેલ છે.   મોઢેરા-મોટી ધાઉ હયાત પાઇપલાઇન મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવ સુધી લંબાવવાની રૂ. 550 કરોડની યોજના, રૂ. 145 કરોડના ખર્ચે બાલારામ નદી ઉપરના ડેમમાંથી પાણી લઈ મલાણી તળાવ સહિત 13 તળાવો ભરવાની યોજના અને રૂ. 126 કરોડની સાંતલપુરના ઊંચાઈ ઉપરના 11 ગામોને પાઇપલાઇનથી પાણી આપવાની યોજનાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  જાહેરાત કરાશે.


PM Modi જવાનો સાથે મનાવશે દિવાળી


દિવાળી પહેલાના વ્યસ્ત કાર્યક્રમ બાદ હવે વડાપ્રધાન મોદી દર વર્ષની જેમ આ વખતે પણ સરહદ પર સૈનિકોની સાથે રોશનીનો તહેવાર દિવાળી મનાવવા તૈયાર છે, એક દિવસ પહેલા જ તેમને અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરમાં રામ લલાની પૂજા કરી હતી, તેમને રામ મંદિરના નિર્માણ કાર્યની પ્રગતિની સમિક્ષા કરી હતી. પીએમ મોદીની ઉપસ્થિતિમાં અયોધ્યાએ એક નવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો.