Attack on Gujarat Congress MLA: વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર ગઈકાલે સાંજે હુમલો થયો હતો. ખેરગામ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા એ સમયે ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો. ખેરગામ બજારમાં ધારાસભ્યની કાર પર અને ધારાસભ્ય પર હુમલો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. જેમાં ધારાસભ્ય લોહિ લુહાણ થયા હતા.  


કોંગ્રેસના ધારાસભ્ય પર થયેલા હુમલાને લઈ ગુજરાત પ્રભારી રઘુ શર્માએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, અનંત પટેલ પર નહી આદીવાસી સમાજ પર હુમલો થયો છે. પાર તાપી લીક આંદોલનની આગેવાની અનંત પટેલે લીધી હતી. ભાજપના શીર્ષ નેતૃત્વના ઇશારે હુમલો કરવામાં આવ્યો છે. ભાજપના હુમલાઓથી કોંગ્રેસ ના ડરશે, ના ઝુકશે.




દુકાનમાં તોડફોડ અને આગ ચંપી


ધારાસભ્ય પર હુમલા બાદ રાત્રે ખેરગામમાં અંદાજિત 5000 હજારથી વધુ લોકો એકઠા થયા હતા અને ટોળાએ જીલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહીરની દુકાનમાં તોડફોડ અને આગ ચંપી  કરી હતી. બહેજ ગામમાં અનંત પટેલ જ ચાલે તેવો ગરબો ગાવામાં આવ્યો હતો અને આ વેળાનો વીડિયો પણ મોટાપાયે વાયરલ થયો હતો અને તે મામલે વિવાદ પણ સર્જાયો હતો. જોકે વિવાદ બાદ વીડિયો વાયરલ કરનારે પણ માફી માગી હતી. એક ચર્ચા એવી પણ આવે છે કે બહેજમાં ગરબામાં ગવાયેલા ગીતને લઈને હુમલો કરવામાં આવ્યો હતો. જોકે કોણે અને કેમ હુમલો કર્યો તે અંગે હજુ કોઈ સતાવાર રીતે કારણ સામે આવ્યું નથી.  



આ પણ વાંચોઃ


શરદ પૂર્ણિમાએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરે ભક્તોએ માતાજીને કમળ અને શ્રીફળ ધરાવી રીઝવ્યા, જુઓ તસવીરો


Edible Oil Price Rises: ખાદ્યતેલના ભાવમાં તેજીનો તોખાર, સિંગતેલનો ડબ્બો પહોંચ્યો 3 હજાર નજીક