ગાંધીનગર:  ગુજરાતમાં આજે કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 17 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,522 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 3,72,334 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 133 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 129 નાગરિકો સ્ટેબલ છે. 8,15,522 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય. અમદાવાદ કોર્પોરેશન 5, સુરત કોર્પોરેશન 3, વડોદરા કોર્પોરેશન 3, પોરબંદર 1, સુરત 1 અને વડોદરામાં 1 કેસ નોંધાયો છે. 



રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 23  કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 3757 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 45757 નાગરિકોને રસીનો પ્રથમ અને 56249 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 121827 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 144721 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,72,334 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 5,70,59,874 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


અમદાવાદ, અમરેલી,  આણદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ,  ભાવનગર,ભાવનગર કોર્પોરેશન,   બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ,  દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન,   જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન,  ખેડા, કચ્છ,   મહીસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા, નવસારી,   પંચમહાલ, પાટણ,  રાજકોટ, રાજકોટ કોર્પોરેશન,  સાબરકાંઠા,  સુરેન્દ્રનગર,  તાપી અને વલસાડમાં  એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.