ગાંધીનગર:  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 નવા કેસ સામે આવ્યા છે. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં હાલ 182 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં હાલ કોરોના વાયરસના કેસ સ્થિર થયા છે.  રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 6,33,789 દર્દીઓનું રસીકરણ થયું છે. 



છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 8, સુરત કોર્પોરેશનમાં  3, વડોદરા કોર્પોરેશનમાં 3, આણંદ 1, દેવભૂમિ દ્વારકા 1 અને રાજકોટમાં 1 કેસ  નોંધાયા છે.  રાજ્યમાંથી વધુ 28 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,14,858 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે. 


ક્યાં ન નોંધાયો એકપણ કેસ


આજે  અમદાવાદ,  અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ,  ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ,   જામનગર, જામનગર કોર્પોરેશન,    જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા, નવસારી,  પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ કોર્પોરેશન,  સાબરકાંઠા, સુરત,  સુરેન્દ્રનગર, તાપી વડોગરા અને વલસાડમાં એક પણ કોરોનાનો કેસ નથી નોંધાયો.



કેટલા લોકોને અપાઈ રસી



રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 6,33,789 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 3,85,90,661 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 144 હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ, 5416 હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને બીજો ડોઝ, 45થી વધુ ઉંમરના 137451 લોકોને પ્રથમ ડોઝ, 45થી વધુ ઉમરના 73656 લોકોને બીજો ડોઝ. 18-45 સુધીના 397908 લોકોને પ્રથમ ડોઝ તથા 18 થી 45 વર્ષ સુધીના 19214 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.