ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા 18  કેસ નોંધાયા છે. તો બીજી તરફ 32 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,029 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી જે રાહતના સમાચાર છે.  આજે  3,61,852 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે સુરત  5, વલસાડ 4, નવસારી 3, સુરત કોર્પોરેશન 2,  અમદાવાદ કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1,   જૂનાગઢમાં 1 અને વડોદારમાં 1 કેસ નોંધાયો છે. 


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 193 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 189 નાગરિકો સ્ટેબલ છે. 8,16,029 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10086 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે સુરત  5, વલસાડ 4, નવસારી 3, સુરત કોર્પોરેશન 2,  અમદાવાદ કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1,   જૂનાગઢમાં 1 અને વડોદારમાં 1 કેસ નોંધાયો છે. 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 9 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1598 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 18643 નાગરિકોને રસીનો પ્રથમ અને 83867 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 55014 નાગરિકોને રસીનો પ્રથમ અને 202721 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,61,852 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,71,91,426 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


અમદવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન,જામનગર,  જામનગર કોર્પોરેશન,  જૂનાગઢ કોર્પોરેશન,  ખેડા, કચ્છ,  મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન,  સાબરકાંઠા,   સુરેન્દ્રનગર, તાપી, અને વડોદરા કોર્પોરેશનમાં  એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.