Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે 1091 કેસ નોંધાયા, 1233 દર્દીએ આપી કોરોનાને મ્હાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Oct 2020 07:23 PM (IST)
Gujarat Corona Cases 18 October 2020: રાજ્યમાં હાલ 14,436 એક્ટિવ કેસ છે, જ્યારે 1,41,652 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. આજે રાજ્યમાં 1091 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3638 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,436 એક્ટિવ કેસ છે, જ્યારે 1,41,652 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 74 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,362 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,59,726 પર પહોંચી છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 9 લોકોના મોત થયા હતા. ક્યાં કેટલા નોંધાયા કેસ સુરત કોર્પોરેશનમાં 173, અમદાવાદ કોર્પોરેશનમાં 167, રાજકોટ કોર્પોરેશનમાં 71, વડોદરા કોર્પોરેશનમાં 76, સુરતમાં 66, જામનગર કોર્પોરેશનમાં 58, વડોદરામાં 43, મહેસાણામાં 38, રાજકોટમાં 36, ગાંધીનગર કોર્પોરેશનમાં 27, જામનગરમાં 26, સુરેન્દ્રનગરમાં 21, સાબરકાંઠામાં 20, અમરેલી અને ગાંધીનગરમાં 19-19, જુનાગઢ અને પાટણમાં 18-18 કેસ નોંધાયા હતા. આજે કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 1233 દર્દી સાજા થયા હતા અને 52,141 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 53,74,429 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.68 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,48,346 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,48,049 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 288 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. અમરેલીમાં ધોધમાર વરસાદથી કઈ નદીમાં પૂર આવતાં લોકો જોવા ટોળે વળ્યા ? જાણો વિગત ગુજરાત ભાજપના કયા ધારાસભ્યએ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારતાં સર્જાયો હડકંપ, જાણો મોટા સમાચાર