ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 18 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,666 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 3,14,813 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 148 કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 143 નાગરિકો સ્ટેબલ છે. 8,15,666 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય. સુરત કોર્પોરેશનમાં 8, વલસાડ 4, અમદાવાદ  કોર્પોરેશનમાં 3, નવસારી 2, સુરત 2,  વડોદરા કોર્પોરેશનમાં 2,  ગાંધીનગર કોર્પોરેશન 1, જામનગર 1 અને  રાજકોટ કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો છે. 


રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી  25  કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 2040 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 41794 નાગરિકોને  રસીનો પ્રથમ અને 44174  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના   114839 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 112941 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,15,813 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 6,03,36,757  કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


અમદાવાદ,  અમરેલી, આણંદ, અરવલ્લી,  બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ,  દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર,  ગીર સોમનાથ,   જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન,  ખેડા, કચ્છ,   મહીસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ,  પોરબંદર, રાજકોટ,   સાબરકાંઠા,  સુરેન્દ્રનગર,  તાપી અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.