ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા 26 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 19 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,575 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 3,59,297 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 



જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 140 કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 134 નાગરિકો સ્ટેબલ છે. 8,15,575 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય.  સુરત કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 5, ગીર સોમનાથ 2, પોરબંદર 2, રાજકોટ કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 2, અમરેલી 1, ભાવનગર 1, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 1, નવસારી 1 અને વલસાડમાં 1  કોરોનાનો કેસ નોંધાયો છે.



રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 19  કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને  2718 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 52550 નાગરિકોને રસીનો પ્રથમ અને 49832  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 133109 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 121069 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,59,297 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 5,83,50,222  કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.



અમદાવાદ, આણંદ, અમરેલી,  બનાસકાંઠા, ભરુચ, ભાવનગર કોર્પોરેશન,    બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ,  દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર,   જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન,  ખેડા,   મહીસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ,  રાજકોટ,   સાબરકાંઠા, સુરત,  સુરેન્દ્રનગર,  તાપી અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.