ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 27 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 34 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,954 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 5,08,726 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે  અમદાવાદ કોર્પોરેશનમાં 9, વડોદરા કોર્પોરેશનમાં 5, રાજકોટ કોર્પોરેશન 4,સુરત કોર્પોરેશન 3, ભાવનગર કોર્પોરેશન 2,  નવસારી 2,  ગાંધીનગર કોર્પોરેશનમાં 1 અને રાજકોટમાં 1  કોરોનાનો કેસ નોંધાયો હતો.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 308  કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 304 નાગરિકો સ્ટેબલ છે. 8,16,954  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10092 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 


બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 10 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 2182 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 13803 નાગરિકોને રસીનો પ્રથમ અને 125585 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 40444 નાગરિકોને રસીનો પ્રથમ અને 326702 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 5,08,726 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,94,60,929 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી,  બનાસકાંઠા, ભરુત,  ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર,  જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન,  ખેડા, કચ્છ,   મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા,  પંચમહાલ, પાટણ, પોરબંદર,  સાબરકાંઠા, સુરત,   સુરેન્દ્રનગર, તાપી વડોદરા અને વલસાડમાં  એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.