ગાંધીનગરઃ ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે.  આજે રાજ્યમાં 1335 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 10 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3522 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,597  એક્ટિવ કેસ છે, જ્યારે 1,25,243 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 91 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,506 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,45,362 પર પહોંચી છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3,  સુરતમાં 3,  ગાંધીનગરમાં 1, રાજકોટમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 13 લોકોના મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 174, અમદાવાદ કોર્પોરેશનમાં 170, સુરતમાં 107, રાજકોટ કોર્પોરેશનમાં 104, વડોદરા કોર્પોરેશનમાં 84, જામનગર કોર્પોરેશનમાં 66,  મહેસાણા 49, રાજકોટ 43, વડોદરા 42, પાટણ 37, અમરેલી 33, ભરૂચ 32, બનાસકાંઠા 31, ભાવનગર કોર્પોરેશન 28, જામનગર 28, ગાંધીનગર કોર્પોરેશનમાં 26, પંચમહાલમાં 24, ગાંધીનગરમાં 22, જુનાગઢ કોર્પોરેશનમાં 20 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1473 દર્દી સાજા થયા હતા અને 51,879  ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 47,54,655  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 86.16 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,79,798 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,79,380 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 418 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.