ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1274   કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 14211  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 103 લોકો વેન્ટીલેટર પર છે. 14108 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1190271 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10808 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 13 લોકોના મોત થયા છે.


કોરોનાનો રિકવરી રેટ પણ 97.94  ટકા


બીજી તરફ આજે 3022 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 97.94  ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  13 મોત થયા. આજે 78,107 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


કોરોનાના કારણે 13 લોકોના મોત થયા


આજે કોરોનાના કારણે 13 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 4, સુરતમાં 2, રાજકોટ  1, ગાંધીનગર કોર્પોરેશન 1, જામનગર 1 અને ભાવનગરમાં 1  કોરોના દર્દીઓનું મોત થયું છે.


અત્યાર સુધીમાં કુલ 10,10,23,671 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા


અત્યાર સુધીમાં કુલ  1190271  દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 97.94 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 4 ને પ્રથમ અને 29 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 1726 ને પ્રથમ અને 4720 ને  બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 6883 ને પ્રથમ અને 25039 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 4062 ને પ્રથમ અને 24788 ને બીજો ડોઝ અપાયો હતો. 10856 ને પ્રીકોશન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 78,107  કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,10,23,671 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.