ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 24  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 414  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 6 લોકો વેન્ટીલેટર પર છે. 408 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212357 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,939  લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી કોઈ પણ દર્દીનું મોત નથી થયું છે. 


અમદાવાદ કોર્પોરેશનમાં 14, વડોદરા કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, વડોદરામાં 2 ગાંધીનગરમાં 1, પાટણમાં 1 ગાંધીનગર કોર્પોરેશન 2,   કોરોનાનો નવો કેસ નોંધાયો છે. 


આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહીઃ
નવસારી, વડોદરા, આણંદ, ભાવનગર કોર્પોરેશન, મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ, અમરેલી, અરવલ્લી,  ભરુચ, બોટાદ, છોટા ઉદેપુર,  દેવભૂમિ દ્ધારકા, ગીર સોમનાથ,  જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, નર્મદા, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, અને વલસાડમાંમાં એક પણ નવો કેસ નોંધાયો નહોતો.


બીજી તરફ આજે 53 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.07  ટકાએ પહોંચ્યો છે. આજે 1,59,743 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. રિકવરી રેટ 99.07 ટકા છે. 


રાજ્યમાં રસીકરણઃ
રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 12-14 વર્ષના બાળકો માટે કોરોના રસીકરણ શરુ થયું છે. આજે 12થી 14 વર્ષના 1,11,205 બાળકોને કોરોનાની રસી અપાઈ છે. 18 વર્ષથી વધારેની ઉંમરના 3131ને રસીનો પ્રથમ અને 21706 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 1209ને રસીનો પ્રથમ જ્યારે 14575ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 7917ને પ્રીકોશન ડોઝ અપાયો હતો. આજે રાજ્યમાં કુલ 1,59,743 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 10,45,58,501 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.