ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 25  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 443  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 05 લોકો વેન્ટીલેટર પર છે. 438 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212304 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,939  લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી કોઈ પણ દર્દીનું મોત નથી થયું છે. 


અમદાવાદ કોર્પોરેશનમાં 12, વડોદરા કોર્પોરેશનમાં 4, બનાસકાંઠા 1, ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 2, નવસારી 1, વડોદરા 1, આણંદ 1, ભાવનગર કોર્પોરેશન 1 અને મહેસાણામાં  1  કોરોનાનો નવો કેસ નોંધાયો છે. 


આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહી


અમદાવાદ, અમરેલી, અરવલ્લી,  ભરુચ, બોટાદ, છોટા ઉદેપુર,  દેવભૂમિ દ્ધારકા, ગીર સોમનાથ,  જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, નર્મદા, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, અને વલસાડમાંમાં એક પણ નવો કેસ નોંધાયો નહોતો.


બીજી તરફ આજે 54 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.07  ટકાએ પહોંચ્યો છે. આજે 2,77,920 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. રિકવરી રેટ 99.07 ટકા છે. 


રાજ્યમાં રસીકરણ
રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં આજથી 12-14 વર્ષના બાળકો માટે કોરોના રસીકરણ શરુ થયું છે. આજે 12થી 14 વર્ષના 2,15,208 બાળકોને કોરોનાની રસી અપાઈ છે. 18 વર્ષથી વધારેની ઉંમરના 4,883 ને રસીનો પ્રથમ અને 25432 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 1492ને રસીનો પ્રથમ જ્યારે 21139 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 9766 ને પ્રીકોશન ડોઝ અપાયો હતો. આજે રાજ્યમાં કુલ 2,77,920 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 10,43,98,758 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.