ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 38  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 37 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,300 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું નથી. આજે 3,09,999 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે  અમદાવાદ કોર્પોરેશનમાં 9, વડોદરા કોર્પોરેશનમાં આઠ, નવસારીમાં ચાર, વલસાડમાં 4,  સુરત કોર્પોરેશનમાં 3, અમદાવાદમાં એક, આણંદમાં એક, અરવલ્લીમાં એક, ભાવનગર કોર્પોરેશનમાં એક, ગાંધીનગર કોર્પોરેશનમાં એક, મહીસાગરમાં એક, મહેસાણામાં એક, રાજકોટમાં એક, રાજકોટ કોર્પોરેશનમાં એક અને સુરતમાં કોરોનાનો એક નવો કેસ નોંધાયો હતો.  



જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 350  કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 345 નાગરિકો સ્ટેબલ છે. 8,17,300  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10095 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 


બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 17 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1006 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 10,504 નાગરિકોને રસીનો પ્રથમ અને 70,247 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 34,450 નાગરિકોને રસીનો પ્રથમ અને 1,93,775 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,09,999 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,31,43,718 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


 અમરેલી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર, ગીર સોમનાથ,  જામનગર, જામનગર કોર્પોરેશન,   જૂનાગઢ,  જૂનાગઢ કોર્પોરેશન,  ખેડા, કચ્છ, મોરબી, નર્મદા,  પંચમહાલ,  પાટણ, પોરબંદર,   સાબરકાંઠા સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.