ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 47  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 560  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 07 લોકો વેન્ટીલેટર પર છે. 553 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212064  લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,938  લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક પણ દર્દીનું મોત થયું નથી.


અમદાવાદ કોર્પોરેશનમાં 31, વડોદરા કોર્પોરેશનમાં 5, વડોદરા 3, આણંદ 2, ડાંગ 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, મોરબી 1, રાજકોટ 1,  સુરત કોર્પોરેશન 1 અને તાપીમાં 1  કોરોનાનો નવો કેસ નોંધાયો છે. 


અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર,   ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ,  દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર,  ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા,  નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વલસાડમાંમાં એક પણ નવો કેસ નોંધાયો નહોતો.


બીજી તરફ આજે 53 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.06  ટકાએ પહોંચ્યો છે. આજે 69,587 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 9280 ને રસીનો પ્રથમ અને 34856 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 1483ને રસીનો પ્રથમ જ્યારે 15624 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 8344 ને પ્રીકોશન ડોઝ અપાયો હતો. આજે રાજ્યમાં કુલ 69,587 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 10,39,58,067 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.