ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 57  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 608  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 02 લોકો વેન્ટીલેટર પર છે. 606 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 12,11,929  લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,938  લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક પણ દર્દીનું મોત થયું નથી.


અમદાવાદ કોર્પોરેશનમાં 28, ભાવનગર કોર્પોરેશનમાં ચાર, ગાંધીનગર કોર્પોરેશનમાં ચાર, સુરતમાં ત્રણ, વડોદરા કોર્પોરેશનમાં ત્રણ, બનાસકાંઠામાં બે, ડાંગમાં બે, સુરત કોર્પોરેશનમાં બે, વડોદરામાં બે, આણંદ, ભરૂચ, દાહોદ, ગાંધીનગર, ખેડા, કચ્છ, રાજકોટ કોર્પોરેશનમાં એક-એક કોરોનાના નવા કેસ નોંધાયા હતા.


અમદાવાદ, અમરેલી,અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્ધારકા, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી, વલસાડમાં કોરોનાને એક પણ નવો કેસ નોંધાયો નહોતો.


બીજી તરફ આજે 111 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.06  ટકાએ પહોંચ્યો છે. આજે 89,979 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 7784 ને રસીનો પ્રથમ અને 40,517 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 2066ને રસીનો પ્રથમ જ્યારે 28,258 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 11,354 ને પ્રીકોશન ડોઝ અપાયો હતો. આજે રાજ્યમાં કુલ 89,979 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 10,38,09,555 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


 


સરકારે લૉન્ચ કરેલી UPI123Pay શું છે, નાના લોકોને પૈસા ટ્રાન્સફર કરવામાં કઇ રીતે કરે છે મદદ, જાણો આખી પ્રૉસેસ.............


Holashtak 2022: આજથી હોળાષ્ઠક શરૂ,આ શુભ કાર્ય કરવા વર્જિત, જાણો ક્ઇ તારીખથી કરી શકશો માંગલિક કાર્ય


તમારું આધાર કાર્ડ તમને છેતરપિંડીથી બચાવશે, બસ આ કામ કરવું પડશે


શ્રીલંકા સામેની ડે-નાઇટ ટેસ્ટમાં આ બે ઘાતક ખેલાડીઓને રમાડશે રોહિત શર્મા, કોની જગ્યાએ કોને લેવાશે ?