સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે સુરેન્દ્રનગરના સાયલામાં કોરોનાના એક સાથે 8 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. સાયલામાં રાજ સૌભાગ આશ્રમમાં એકી સાથે ૮ કોરોના પોઝિટિવ કેસ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. 


દર્દીઓને સારવાર અર્થે અમદાવાદ, સુરેન્દ્રનગર, વડોદરા જેવી જુદી જુદી જગ્યાઓ ઉપર લઈ જવામાં આવ્યા છે. હાલમાં રાજસોભાગ આશ્રમનું સેનેટરાઈઝર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.