CMOમાંથી અજય ભાદુને ખસેડવામાં આવ્યા છે. તેમની જગ્યાએ અશ્વિની કુમારને સચિવ બનાવવામાં આવ્યા છે. જ્યારે અજય ભાદુને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના વીસી અને સીઈઓ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત અમદાવાદના 2 ડેપ્યુટી મ્યુનિસપલ કમિશ્નરની પણ બદલી કરવામાં આવી છે. ડી. એચ. શાહને CMOમાં OSD બનાવવામાં આવ્યા છે.
જાણો કોને ક્યાં મુકાયા
મુકેશ પુરી- સેક્રેટરી નર્મદા વિભાગ
એમ.એસ. ડાગુરને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગનો વધારાનો હવાલો સોંપાયો.
એમ. થેન્નારસન એસએમસીના કમિશ્નર બનાવાયા
શાહમીના હુસૈન- મહિલા અને બાળ વિભાગના કમિશ્નરપદે બદલી
પંકજ જોશી - એમડી ગુજરાત ઊર્જા વિકાસ નિગમ
અંજુ શર્મા-કૃષિ સહકાર વિભાગમાંથી બદલી કરી શિક્ષણ વિભાગના અગ્ર સચિવ પદે મુકાયા
ડો. એસ. મુરલી ક્રિષ્ના- કૃષિ અને સહકાર વિભાગમાં બદલી
મોહમ્મદ શાહીદ - માછીમારી વિભાગના કમિશ્નર પદે બદલી
એસ. એલ. અમરાણી- સંયુક્ત સચિવ, શ્રમ અને રોજગાર વિભાગમાં બદલી
વિજય નેહરા- રાજકોટ મ્યુ. કમિશ્નરમાંથી બદલી કરી જીએસઆરટીસીના વીસી અને એમડી બનાવાયા
પંકજ કુમાર- અગ્ર સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં બદલી
આર.બી. બારડ- અમદાવાદના ડે.મ્યુ. કમિશ્નરમાંથી બદલી કરી જામનગર મ્યુ. કમિશ્નર બનાવાયા
હર્ષદ પટેલ- જામાનગર મ્યુ. કમિશ્નરમાંથી બદલી કરી જનરલ એડમિનિસ્ટ્રેશનમાં મુકાયા
મિલિંદ તોરવણે- ગુજરાત અર્બન હાઉસિંગ વિભાગમાં વધારાનો હવાલો
એસ. છકછુક- સ્ટેમ્પ ડ્યૂટી નોંધણી વિભાગમાં બદલી
રવિશંકર- જુનાગઢ મ્યુ. કમિશ્નરમાંથી બદલી ગ્રામવિકાસ વિભાગમાં મુકાયા
જે.ડી. દેસાઈ- શ્રમ વિભાગના ડાયરેક્ટર પદે બદલી
વી.જે. રાજપુત- જુનાગઢ મ્યુ. કમિશ્નર તરીકે બદલી
તુષાર ધોળકીયા- નર્મદા કલ્પસરમાં બદલી
રાકેશ શંકર- અમદાવાદ ડે.મ્યુ. કમિશ્નર પદે બદલી
ડી.એચ. શાહ- અમદાવાદ ડે.મ્યુ. કમિશ્નરમાંથી બદલી સીએમઓમાં ઓએસડી બનાવાયા