Gujarat Hooch Tragedy Update: બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 31 પર પહોંચ્યો છે. લઠ્ઠાકાંડને લઈ સ્ટેટ મોનિટરિંગ સેલના એસ.પી. નિર્લિપ્ત રાય પણ પહોંચી ગયા છે. તેઓ હાલ આ કેસની ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાજ્ય સરકારને ઘેરી રહ્યા છે. કોંગ્રેસના અમિત ચાવડાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ નિવેદન આપ્યું છે.
શું કહ્યું શંકરસિંહ વાઘેલાએ
શંકરસિંહ વાઘેલાએ લઠ્ઠાકાંડ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું, આ પહેલા પણ અનેક લોકો ઝેરી દારૂ પી ને મરી ગયા છે. તેથી ગુજરાતમાં દારૂબંધી હટાવવી જોઈએ. ગુજરાતમાં કાયદો વ્યવસ્થા ખાડે ગઈ છે. દારુબંધીનો ખોખલો દંભ કરો બંધ કરો.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે શું કહ્યું
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું, લઠ્ઠાકાંડમાં જેના મૃત્યુ થયા તેમના પરિવારને સાંત્વના પાઠવું છું. વારંવાર ગુજરાતમાં લઠ્ઠાકાંડ કેમ થાય છે તે સવાલ ઊભા થાય છે. પોલીસ તંત્ર અને ભાજપ સરકારે આ લઠ્ઠાકાંડને દબાવી રાખ્યું છે. પોલીસ અને ભાજપના લોકો દારૂના ધંધામાં 30 ટકાના ભાગીદાર છે, આ મારો આક્ષેપ નથી સાબિત કરી શકું છું. ગૃહમંત્રી મારી સાથે આવે તો સાબિત કરી શકું છું કે ગુજરાતમાં કન્ટેનરમાં દારૂ આવે છે. કન્ટેનર આવે ત્યારે 100 ગાડીઓ તેનું કટિંગ કરીને લઈ જાય છે. દારૂનું કટિંગ થાય ત્યારે કોણ હોલસેલર બનશે તેની સિન્ડિકેટ ગુજરાતમાં ચાલે છે. પોલીસ 30 ટકા , ભાજપના લોકો 30 ટકા અને બાકી બુટલેગર એમ ત્રણ લોકોની ભાગીદારી થી ગુજરાતમાં દારૂ વેચાય છે.
ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે શું કહ્યું
ગુજરાત ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે લઠ્ઠાકાંડને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું- લઠ્ઠાકાંડમાં જે લોકોનાં મોત થયા છે તેને લઇને હું દુખની લાગણી વ્યક્તિ કરું છું. પરિવારને દુખ સહન કરવાની ભગવાન શક્તિ આપે.ઝેરનો વેપલો કરનારા રાક્ષસો છે. એક વ્યક્તિના નશો કરવાથી આખો પરિવાર બરબાદ થતો હોય તો નશો ન કરવો જોઇએ. યુવાનોને ઝેરના વેપલાથી દુર રહેવા અલ્પેશ ઠાકોરે ટકોર કરી કહ્યું, દારુ વેચનારા એક પ્રકારના રાક્ષસોને સજા થવી જોઇએ.
રોજીદ ગામ હિબકે ચડ્યું
બોટાદના રોજીદ ગામે એક સાથે 5 લોકોની અંતિમ યાત્રા નીકળી. પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકળી.. એક સાથે 5 લોકોની અંતિમ યાત્રા નીકળતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આ પણ વાંચોઃ
Gujarat Hooch Tragedy: લઠ્ઠાકાંડને લઈ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ શું કહ્યું ? જાણો વિગત
Gujarat Monsoon: છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ, 41 તાલુકામાં વરસ્યું કાચું સોનું
Monkeypox Cases Gujarat: ગુજરાતમાં થઈ મંકીપોક્સની એન્ટ્રી ? જાણો વિગત
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો