પાલનપુરઃ રાજ્યમાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તેમાં પણ ખાસ કરીને અમદાવદ, સુરત જેવા શહેરોની સ્થિતિ વધારે ખરાબ છે. કોરોનાથી બચવા અનેક શહેરો, ગામડાઓમાં લોકોએ સ્વયંભૂ લોકડાઉન (Self Lockdown) નાંખ્યું છે ત્યારે પાલનપુર શહેરમાં કોરોનાની ચેઈન તોડવા અનોખું પગલું ભરવામાં આવ્યું છે.


પાલનપુર શહેરમાં 23 થી 27 એપ્રિલ સુધી જનતા કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈ શહેરમાં ઘણી જગ્યાએ જનતા કર્ફ્યૂના બોર્ડ લગાવાયા છે. શહેરમાં વેપારી એસોસિએશન દ્વારા જનતા કર્ફ્યુના બોર્ડ લગાવ્યા છે. જનતાને સહયોગ આપવા વેપારી એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે.


પાલનપુર જિલ્લા કોરોનાની ભયાવહ વચ્ચે બુધવારે વધુ 227 કેસ નોંધાયા હતા. જ્યાં પાલનપુરમાં 10 મિનિટમાં પિતા પુત્રના મોતથી હાહાકાર મચી ગયો હતો.


ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર


બુધવારે રાજ્યમાં પ્રથમ વખત 12,553 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 125 લોકોનાં મૃત્યુ થયા હતા તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5740 પર પહોંચી ગયો છે. રાજ્યમાં બુધવારે 4802 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,50,856 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 84 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 84126 પર પહોંચ્યો છે. જેમાંથી 361 લોકો વેન્ટિલેટર પર અને 83765 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.61 ટકા છે.


સૌરાષ્ટ્રમાં ભાજપના દિગ્ગજ નેતાએ પુત્રના લગ્નમાં કોરોનાના નિયમો મૂક્યા કોરાણે, નેતાઓ પણ હતા હાજર!


Gujarat Lockdown: અમદાવાદના 49 ગામોએ 30 એપ્રિલ સુધી કર્યુ લોકડાઉન, દૂધ-શાકભાજીનો ટાઈમ કર્યો નક્કી


કોરોનાના કેસોમાં ભારત વર્લ્ડ રેકોર્ડ બનાવવા તરફ, જાણો એક દિવસમાં સૌથી વધારે કેસ ક્યારે નોંધાયા