Gujarat Weather update: હવામાન વિભાગે રાજ્યમાં આગામી  બે દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને લઇ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે, જેને લઈ ધરતીપુત્રોની ચિંતા વધી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી, ડાંગ તથા ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ દરમિયાન ખેડૂતોને પાકનું ધ્યાન રાખવા અપાઈ સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં બે દિવસ બાદ વાતાવરણ સૂકું રહેશે. હાલમાં પવનને લઇને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.


ભારતમાં કેવું રહેશે હવામાન


ભારતમાં તમામ સ્થળો પર ઠંડીનો ચમકારો શરૂ થઇ ગયો છે, શિયાળાની ઋતુમાં વધુ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી રહી છે, ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં દેશમાં દરેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. હવામાન રિપોર્ટ પ્રમાણે, ઉત્તર ભારતમાં ઠંડી વધુ જામશે, તેમાં પણ મેદાની વિસ્તારો ઠંડી અને પહાડી વિસ્તારોમાં બરફ પડવાની પુરેપુરી સંભાવના છે. આ વિસ્તારોમાં તાપમાનનો પારો નીચો ગગડી શકે છે. 


હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે, ઉત્તર ભારતમાં ઠંડી વધશે, તેમાં ખાસ કરીને દિલ્હી ઉપરાંત, પંજાબ, હરિયાણા, યુપી, ઝારખંડ અને બિહારમાં કેટલાય સ્થળો પર તાપમાનનો પારો નીચો થઇ જઇ શકે છે, આ તમામ જગ્યાઓ પર હાડગાળતી ઠંડી પડી શકે છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ઠંડનો ચમકારો રહેશે. 


હવામાન રિપોર્ટ અનુસાર, દિલ્હીની આસપાસના વિસ્તારોમાં ઠંડની સાથે સાથે બરફ વર્ષા પણ થઇ શકે છે, આગામી થોડાક  દિવસોમાં દિલ્હીમાં લઘુતમ અને ન્યૂનત્તમ તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી શકે છે. 14 ડિસેમ્બરથી ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી વધશે, અને 16 ડિસેમ્બરથી લગભગ લઘુતમ 24 ડિગ્રી તાપમાન રહેશે અને 6 ડિગ્રી ન્યૂનત્તમ તાપમાન રહેશે. 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકશન મોડમાં, જાણો મંત્રીમંડળના સભ્યોને શું આપ્યો આદેશ


ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના ધારાસભ્યોએ ગઈકાલથી ચાર્જ સંભાળી લીધો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ એકશન મોડમાં આવ્યા છે. તેમણે મંત્રીમંડળના સભ્યોને 100 દિવસનો રોડ મેડ બનાવવા અને વિભાગની કામગીરીમાં સંકલ્પ પત્રની જોગવાઈઓને પ્રાધાન્ય આપવા સૂચના આપી છે.


ધાર્યા કરતા પરિણામ સારું આવ્યું એટલે વધારે જોશ આવે- સીએમ


 
મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલનો પહેલો સ્ટેજ કાર્યક્રમ પાટીદારોની મહત્વની સંસ્થા સરદાર ધામમાં યોજાયો હતો. વૈષ્ણોદેવી અંડર પાસ લોકાર્પણ કાર્યક્રમ બાદ સીએમ સરદારધામ પહોંચ્યા હતા. જેમાં તેમણે કહ્યું ધાર્યા કરતા પરિણામ સારું આવ્યું એટલે વધારે જોશ આવે, હવે જવાબદારી પણ ડબલ છે. લોકોએ વિશ્વાસ કાયમ રાખ્યો છે એ હજુ કાયમ રહે તે કામ કરવાનું છે, જો એસપી રીંગ રોડ ન બન્યા હોત તો શું થાત ? હવે એસપી રીંગ રોડ પર પણ બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. અમિત ભાઈ મોટી જવાબદારી હોવા છતાં એમના મત વિસ્તારની ચિંતા કરી રહ્યા છે. મારો પહેલો કાર્યક્રમ સરદારધામ અને વલ્લભભાઈના ચરણોમાં થઈ રહ્યો છે એનો પણ મને આનંદ છે.