Holi 2022: ભારતભરમાં હોળી-ધૂળેટીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારની ઉજવણીની મુખ્ય ઓળખ હોલીકા દહન અને રંગ છે. હોલીકા દહન અને રંગો વગરની હોળીની ઉજવણી કરવાની કલ્પના પણ ના થઈ શકે. જો કે, ગુજરાતમાં એક એવું ગામ છે જ્યાં છેલ્લા 200 વર્ષથી હોળીની ઉજવણી નથી કરાઈ. આ ઉજવણી કેમ નથી કરાઈ તેનું કારણ પણ 200 વર્ષ જુની એક ઘટના છે જેનો ડર આજે પણ આ ગામના લોકોમાં યથાવત છે. 


સંતોનો શ્રાપઃ
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામસણ ગામમાં છેલ્લા 200 વર્ષથી હોળીના પર્વની ઉજવણી નથી કરવામાં આવી. હોળીની ઉજવણી ના કરવાનું કારણ અહીં વર્ષો પહેલાં બનેલી એક ઘટના છે. એવી માન્યતા છે કે, એક અહંકારી રાજાએ ખરાબ કામ કર્યા હતા. રાજાના આ કામોથી કેટલાક સંતો ક્રોધિત થયા હતા અને આ ગામને શ્રાપ આપ્યો હતો. સંતોએ શ્રાપ આપીને કહ્યું હતું કે, આ ગામ સદાય માટે રંગહીન (બેરંગ) રહેશે. ત્યારથી લઈને અત્યાર સુધી આ ગામમાં હોળી ના રમવાની પરંપરા ચાલી આવે છે. આ સાથે આ રામસણ ગામમાં હોળી પણ નથી પ્રગટાવામાં આવતી. 


ગામમાં આગ લાગીઃ
મીડિયા અહેવાલો પ્રમાણે, રામસણ ગામના લોકોનું કહેવું છે કે, આ ગામમાં છેલ્લા 200 થી વધુ વર્ષોથી હોલીકા દહન નથી કરાયું અને હોળી-ધૂળેટીની ઉજવણી પણ નથી કરાઈ. 200 વર્ષ પહેલાં આ ગામમાં હોળી પ્રગટાવાઈ હતી અને ધામધૂમથી હોળીની ઉજવણી કરાઈ હતી. પણ એજ હોળીના દિવસે અચાનક આખા ગામમાં આગ લાગી હતી અને આગમાં ઘણાં ઘર બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટના બાદ ગામના લોકોમાં એવો ડર આવ્યો કે ત્યારથી લઈને અત્યાર સુધી હોળીની ઉજવણી નથી કરાઈ. 


આ પણ વાંચોઃ


દેવભૂમિ દ્વારકા : ભાણવડમાં ત્રિવેણી સંગમમાં પાંચ કિશોરોના ડૂબી જતા મોત થયા