જૂનાગઢઃ જૂનાગઢની લીલી પરિક્રમા મુદ્દે કલેક્ટરે મોટો નિર્ણય કર્યો છે. હવે પરિક્રમામાં 400 લોકોની મર્યાદામાં ભક્તોને પણ મંજૂરી આપવામાં આવી છે.  હવે 400-400 લોકોના જૂથમાં પરિક્રમા કરી શકાશે. પહેલા પ્રતિકાત્મક લીલી પરિક્રમા કરવા માટે નિર્ણય લેવાયો હતો પરંતુ ભક્તોની લાગણીને જોતા પ્રશાસને હવે 400 લોકોને તબક્કાવાર પરિક્રમા માટે મંજૂરી આપી છે.


આ તમામ કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. કોઈ પણ જગ્યાએ 400થી વધુ લોકોની ભીડ એકત્ર ન થાય તે રીતે પરિક્રમા યોજવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, આજે મધ્યરાત્રીથી પરિક્રમા શરૂ થઇ ગઇ છે. આજે સવારથી ગીરનાર તળેટી વિસ્તારમાં પરીક્રમાના રૂટ પર પ્રવેશવાના ઇટવા ગેઇટ પાસે દૂર દૂરથી આવી રહેલ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં એકત્ર થઇ રહ્યા છે.


ED અને  CBIના ચીફનો કાર્યકાળ વધારાયો


કેન્દ્ર સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સીબીઆઇના ચીફનો કાર્યકાળને વધારીને પાંચ વર્ષ કરી દીધો છે. જેનો અર્થ એ થયો કે હવે ઇડી અને સીબીઆઇના ડિરેક્ટર પદ માટે કોઇ અધિકારી પાંચ વર્ષ પોતાની સેવાઓ આપી શકશે. કેન્દ્રએ એક અધ્યાદેશ મારફતે બંન્ને એજન્સીઓના વડાનો કાર્યકાળની સીમા વધારી દીધી છે.


નોંધનીય છે કે વર્તમાનમાં ઇડીના ડિરેક્ટર સંજય મિશ્રા છે. તેમનો કાર્યકાળ આ સપ્તાહમાં પૂર્ણ થઇ રહ્યો હતો પરંતુ હવે વટહુકમ બાદ સરકાર ઇચ્છે તો તેમનો કાર્યકાળને બે વર્ષ સુધી વધારી શકે છે. જોકે, હાલમાં સંજય મિશ્રાને લઇને હજુ સુધી કોઇ સત્તાવાર આદેશ જાહેર કરાયો નથી.


રાજ્યમાં ઠંડીનું વધ્યું જોર, જાણો ક્યાં સમયથી હાડ થીજાવતી ઠંડીનો થશે અનુભવ, હવામાન વિભાગે શું કરી આગાહી


Surat: એક જ પરિવારના 5 સભ્યોને કોરોના, રસીના બંને ડોઝ લીધા હોવા છતાં કોરોના થતાં ખળભળાટ, ત્રણ વર્ષનાં ટ્વિન્સ પણ ભોગ બન્યાં


Laxman As NCA Chief: સૌરવ ગાંગુલીની વાત માની વીવીએસ લક્ષ્મણ બનશે NCAના અધ્યક્ષ