Lok Sabha Election 2024: સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર શોભના બારૈયાને લઇને વિવાદ શરૂ થયો છે. જિલ્લામાં કાર્યકર્તાઓ શોભના બારૈયાની ઉમેદવારીનો વિરોધ કરી રહ્યાં છે. પહેલા ભીખાજી ઠાકોરની અટકને લઇને વિરોધ થયો હતો, હવે શોભના બારૈયા પક્ષના કાર્યકર્તા ના હોવાને લઇને વિરોધ શરૂ થયો હતો. આ બધાની વચ્ચે સોશ્યલ મીડિયા વૉટ્સએપ પર પત્રિકા વૉર શરૂ થયું છે જેમાં શોભના બારૈયાનો પુરજોશમાં વિરોધ કરવામા આવી રહ્યો છે. આ અંગે હવે પહેલાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે મોટુ નિવેદન આપ્યુ છે. 


સાબરકાંઠા બેઠક પર ભાજપે અગાઉ જાહેર કરેલા ભીખાજી ઠાકોરે મોટુ નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કે, સાબરકાંઠા બેઠક પર કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયો છે, હાલમાં અહીં જે પત્રિકા વૉર શરૂ થયુ છે, જે મારા વિરોધીઓ તરફથી મુકવામાં આવી છે.


સાબરકાંઠામાં શરૂ થયેલા પત્રિકા વૉર પર શું બોલ્યા ભીખાજી ઠાકોર - 
ભાજપના અગાઉના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પત્રિકા વૉર બાદ પોતાની સ્પષ્ટતા કરી છે, તેમને કહ્યું કે, હું ભાજપમાં જ છું, ઉમેદવાર બદલાતા હાલમાં બેઠક પર કાર્યકર્તાઓમાં રોષ છે. હું કાર્યકર્તાઓને સમજાવીશ. કાર્યકર્તાઓનો રોષ શાંત કરવાનો પ્રયાસ કરીશ. શોભનાબેનને ઉમેદવાર જાહેર કરાતા કાર્યકરો અસમંજસમાં છે. ભીખાજી ઠાકોરે દાવો કર્યો છે કે મારા વિરોધીઓએ આ પૉસ્ટ મુકી છે. 


સાબરકાંઠામાં ભાજપ ઉમેદવારને લઇને ફરીથી વિવાદ, કાર્યકર ના હોવા છતાં ટિકીટ અપાતા તા.પં.ના સભ્યએ લખ્યો પત્ર


સાબરકાંઠા બેઠક પર ભાજપે ત્રીજી યાદી યાદી દરમિયાન અરવલ્લી જિલ્લા મહામંત્રી ભીખાજી દુધાજી ઠાકોરને ટિકીટ આપી હતી, ભીખાજીની અટકને લઇને વિવાદ થતાં ભાજપે પાંચમી યાદીમાં ઉમેદવાર બદલીને શોભનાબા બારૈયાને ટિકીટ આપી હતી. જોકે, હવે હિંમતનગર તાલુકા પંચાયતના સભ્ય જિતેન્દ્રસિંહે પત્ર લખીને વિરોધ નોંધાવ્યો છે.


સાબરકાંઠામા ભાજપે ઉમેદવાર બદલ્યા છતાં ઉમેદવારને લઈને જિલ્લામાં વિરોધ યથાવત છે. ભાજપે બીજીવાર ઉમેદવાર જાહેર કર્યા છતા વિરોધ યથાવત છે. હાલમાં હિંમતનગર તા.પં.ના સભ્ય જિતેન્દ્રસિંહએ એક પત્ર લખ્યો છે, જેમાં તેમને નવા ઉમેદવારને લઇને વિરોધ નોંધાવ્યો છે. તેઓનું કહેવું છે કે, ભાજપે જાહેર કરેલા ઉમેદવાર ભાજપ કાર્યકર ના હોવા છતા ટિકિટ અપાઇ છે. કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ટિકિટ આપતા આ આખો વિરોધ શરૂ થયો છે.


જિતેન્દ્રસિંહના પત્ર બાદ અત્યારે બેઠક પર કોઇ ભાજપ કાર્યકર્તાને જ ટિકિટ આપવાની માગ ઉઠી છે. જિતેન્દ્રસિંહનું કહેવું છે કે, કાર્યકર્તાના સ્થાને કાર્યકર્તાની પત્નીને ટિકિટ કેમ કેમ અપાઇ, શોભનાબેન નહીં, તેમના પતિ પક્ષના કાર્યકર છે. મહિલા કાર્યકર્તાને ટિકિટ આપવાની માંગ છે. કૌશલ્યાકુંવરબા પસંદ ના હોય તો અન્યને ટિકીટ આપો, શોભનાબેને પક્ષ માટે કોઈ કામ નથી કર્યા. 


4 જુનના રોજ પરિણામ આવશે



  • તબક્કો 1: 19 એપ્રિલ 2024 મતદાન

  • તબક્કો 2: 26 એપ્રિલ 2024 મતદાન

  • તબક્કો 3: 7 મે 2024 મતદાન

  • તબક્કો 4: 13 મે 2024 મતદાન

  • તબક્કો 5: 20 મે 2024 મતદાન

  • તબક્કો 6: 25 મે 2024 મતદાન

  • તબક્કો 7: 1 જૂન 2024 મતદાન


ગુજરાતમાં 7મેના રોજ મતદાન થશે


ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાશે. ગુજરાત સહિત તમામની મતગણતરી 4 જૂનના રોજ થશે. 


લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થશે, 19 એપ્રિલથી શરૂ થશે, 4 જૂને પરિણામ આવશે
લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.