મહેસાણા તાલુકાના છઠીયારડા ગામના મહંતે જીવંત સમાધિ લેવાની જાહેરાત કરી છે. છઠીયારડા ગામના મહંતે 4 એપ્રિલના રોજ સમાધિ લેવાની જાહેરાત કરી છે. 4 એપ્રિલે સમાધિ લેવા અંગેના કાર્યક્રમની પત્રિકાઓ પણ છાપવામાં આવી છે. પત્રિકામાં 3, 4 એપ્રિલના રોજ અલગ-અલગ કાર્યક્રમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંતે અગાઉ આ જાહેરાત કરી હતી.


મહેસાણાના છઠીયારડાના કબીર આશ્રમના જે મહારાજે સમાધી લેવાની જાહેરાત કરી છે તે પહેલાં અમદાવાદના જુના વાડજ સ્થિત રામાપીરના ટેકરામાં રહેતા હતા. રાજુ પરમાર, રાજુ કરાટે જેવા નામથી તેમના મિત્રો અને પાડોશીઓ તેમને ઓળખાતા હતા. આજે તે જગ્યાએ તેમનું ઘર નથી કેમ કે ત્યાં ડીમોલેશન કરવામાં આવ્યું છે. રાજુ પરમાર એટલે કે સમાધી લેવાની જાહેરાત કરનારા આ મહારાજ અગાઉ મહાપાલિકાની ચૂંટણી લડી ચુક્યા છે ચૂંટણીમાં હાર થઈ હતી અને બાદમાં તેઓ છેલ્લા થોડા વર્ષોથી આશ્રમ જતા રહ્યા છે. તેમની સમાધી લેવાની જાહેરાતના બોર્ડ વાડજ વિસ્તારમાં પણ જોવા મળે છે.


છઠીયારડા ગામના મહંતે પોતાની સમાધિની તારીખ જાહેર કરી છે. તેમના દ્વારા પોતાની સમાધિની તારીખ આજ રોજ નહીં પરંતુ વર્ષ 2018માં અમદાવાદના વાડજ ખાતે એક કાર્યકમમાં કરી હતી. તેમનો જન્મ 4 -4-1971માં થયો હતો અને તેમના દ્વારા જાહેરાત કરાઈ હતી કે તેમની સમાધિની તારીખ આગામી 4 -4 -21 ના રોજ થશે. 4 તારીખે રાત્રે 10 થી 11 કલાકે તેમની સમાધિ થશે તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું.


તેમના અનુપાયીઓ દ્વારા પણ આ સમાધિની પુષ્ટિ કરી છે. તેઓ કઈ જગ્યા પર અને કઈ રીતે સમાધિ લેશે તે તેમના દ્વારા ભગવાન પર છોડ્યું છે. અનુયાયીનો દાવો છે કે મહંત 4 એપ્રિલે ચાલુ કાર્યક્રમમાં શપ્ત સુલ દેહ છોડી દેશે. ઉલ્લેખનીય છે કે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે  તેઓ ઘણા વર્ષો પહેલા જુના વાડજથી ભાજપમાંથી કોર્પોરેશનમાંથી ચૂંટણી પણ લડ્યા હતા અને જેમાં તેમનો પરાજય થયો હતો. છેલ્લા અનેક વર્ષોથી આધ્યાત્મિકના માર્ગે હતા. તેમની સમાધિના અંતર્ગત આગામી 3 અને 4 એપ્રિલના રોજ કબીર આશ્રમ ખાતે જુદા જુદા કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું છે.