Morbi Bridge Collapse:  ગુજરાતના મોરબીમાં રવિવારે સાંજે ઝૂલતો પુલ ધરાશાયી થતાં 140 થી વધુ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. અગાઉ 1979માં મોરબીમાં પણ આવી જ એક દુર્ઘટના થઈ હતી. જેમાં એક હજાર જેટલા લોકોના મોત થયા હતા. 11 ઓગસ્ટ 1979ના રોજ મોરબી ખાતે મચ્છુ નદી પર બાંધવામાં આવેલો ડેમ ભારે વરસાદ બાદ તૂટી ગયો હતો. તે સમયે કેન્દ્ર અને રાજ્યમાં જનતા પાર્ટીની સરકાર હતી. તે સમયે મુખ્યમંત્રી બાબુભાઈ પટેલે લગભગ 6 મહિના સુધી મોરબીથી તેમનું મંત્રીમંડળ ચલાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હતા. દુર્ઘટના બાદ તેમણે ત્યાં રાહત અને બચાવ કાર્યમાં ભાગ લીધો હતો.


 મચ્છુ નદી પર બનેલો પુલ કેવી રીતે તૂટ્યો?


સતત ત્રણ દિવસ સુધી મુશળધાર વરસાદને કારણે, મચ્છુ નદી પર બનેલો ડેમ 11 ઓગસ્ટ 1979ના રોજ બપોરે 3 વાગ્યાની આસપાસ ઓવરફ્લો થયો અને તૂટી ગયો. સરકારી આંકડાઓ અનુસાર તે દુર્ઘટનામાં એક હજાર લોકો માર્યા ગયા હતા. બિનસત્તાવાર આંકડાઓ અનુસાર 25 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તે સમયે તત્કાલિન મુખ્યમંત્રી બાબુભાઈ પટેલે લગભગ 6 મહિના માટે તેમનું મંત્રીમંડળ મોરબીમાં શિફ્ટ કર્યું હતું.ગુજરાત સરકારે તેને એક્ટ ઓફ ગોડ ગણાવ્યું હતું. સત્તાવાર આંકડાઓ અનુસાર તે સમયે લગભગ 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.


તે સમયે ચૌધરી ચરણ સિંહ વડાપ્રધાન હતા. ગુજરાતમાં બાબુભાઈ પટેલના નેતૃત્વમાં જનતા પાર્ટીની સરકાર હતી. આ દુર્ઘટનાના થોડા દિવસો પછી 16 ઓગસ્ટના રોજ ઈન્દિરા ગાંધીએ મોરબીની મુલાકાત લીધી. જ્યારે ઈન્દિરા ગાંધી ત્યાં પહોંચ્યા ત્યારે મૃતદેહોની દુર્ગંધ એટલી બધી હતી કે તેમણે નાક પર રૂમાલ બાંધવો પડ્યો.


નરેન્દ્ર મોદી રાહત અને બચાવ કાર્યમાં જોડાયા હતા


નરેન્દ્ર મોદી રાહત અને બચાવ કાર્ય માટે ગયા હતા. તે સમયે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેડમિન્ટન સ્ટાર પીવી સંધુ સાથે આ ઘટના શેર કરી હતી. મોદીએ કહ્યું હતું કે, 11 ઓગસ્ટ, 1979ના રોજ તેઓ સ્વયંસેવક તરીકે ત્યાં ગયા હતા અને રાહત કાર્યમાં લાગેલા હતા.


આ પણ વાંચોઃ


Morbi Bridge Collapse: મોરબી પુલ દુર્ઘટનાને લઈ ભાવુક થયા પીએમ મોદી, જાણો શું કહ્યું