- ગાંધીનગરમાં 3 વોર્ડ અને 12 બેઠકનો વધારો કરાયો છે. નવા સીમાંકન બાદ ગાંધીનગરમાં મનપામાં 11 વોર્ડ 44 કોર્પોરેટર્સ રહેશે.
- સુરતમાં એક વોર્ડ અને 4 બેઠકોનો વધારો કરાયો છે. હવે સુરતમાં મનપામાં 30 વોર્ડમાં 120 બેઠકો રહેશે.
- ભાવનગરમાં મનપામાં 13 વોર્ડ 52 બેઠક યથાવત છે.
- રાજકોટમાં મનપામાં 18 વોર્ડ 72 બેઠક યથાવત રહેશે.
- જામનગરમાં મનપામાં 16 વોર્ડ 64 બેઠક યથાવત
- વડોદરામાં મનપામાં 19 વોર્ડ 76 બેઠક બેઠક યથાવત
ચૂંટણી પહેલાં નવા જાહેરનામાંથી મહાનગરપાલિકાની રાજનીતિમાં ગરમાવો પણ આવી ગયો છે. સુરતમાં કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, સુરત શહેરમાં 2 નગરપાલિકા અને 27 ગામોનો સમાવેશ કર્યો છતાં એક જ વોર્ડનો વધારો કરાયો કારણ કે કૉંગ્રેસ ઓછી બેઠકો જીતે.