Junagadh News:પર્યાવરણના જતનને ધ્યાનમાં રાખીને  પ્રશાસને એક મહત્વનો નિર્ણય લીધો છે. આજથી ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકની કોઇપણ વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


ગિરનાર અને દાતાર પર્વત પર પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધની આજથી અમલવારી શરૂ થઇ જશે. પ્લાસ્ટિક મુક્ત ગિરનાર પર્વત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે. .. 600 વેપારીને પ્રશાસને આપ્યા 600 વોટર જગ આપ્યા છે. વેપારીઓ માટી અને કાચની બોટલનો ઉપયોગ કરી શકશે.


ઉલ્લેખનિય છે કે, પ્લાસ્ટિકની બોટલ  સહિતની ડિસ્પોઝિબલ વસ્તુઓ યુઝ એન્ડ થ્રો હોવાથી લોકો તેનો યુઝ કરીને પર્વત પર ફેકી દેતા હોય છે. જેના કારણે સુંદર રમણીય પર્વત પર પ્લાસ્ટિકનો કચરો જમા થતો જાય છે. પર્યાવરણ અને આપણી કુદરતી સંપદાના જતન માટે અને આ સ્થળો પર સ્વચ્છતા જળવાય રહે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની આજથી જ અમલવારી કરવામાં આવશે.


જૂનાગઢ ગિરનારનો ઇતિહાસ


ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 અને માળીપરબ 1800 ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને 866 મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ 9.999 પગથિયા છે, પણ ખરેખર 11000  પગથિયા છે. અહીં દર વર્ષે ગિરનારની  પરિક્રમા  યોજાઇ છે. જેને લીલી પરિક્રમા કહેવાય છે.  જેમાં દર વર્ષે લાખો  લોકો જોડાય છે.


આ પણ વાંચો


PM Modi Ayodhya Visit Live: પીએમ મોદી આજે અયોધ્યા મુલાકાતે, નવા એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન, 15,700 કરોડની આપશે ભેટ


Sukanya Samriddhi Scheme: સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણકારોને આપી નવા વર્ષની ભેટ, વ્યાજદરમાં વધારાની કરી જાહેરાત


Assam News: આસામમાં 40 વર્ષના ઉગ્રવાદનો આવ્યો અંત! ULFA અને કેન્દ્ર સરકાર વચ્ચે થયો ઐતિહાસિક કરાર


Ayodhya Ram Mandir: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા ડૉ પ્રવિણ તોગડિયાને આપવામાં આવ્યું આમંત્રણ