મળતી જાણકારી અનુસાર, પાણીની આવકમાં વધારો થતાં ફરી એકવાર સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવામાં આવી શકે છે. અગાઉ પાણીમાં ઘટાડો થતા ખોલવામાં આવેલા દરવાજા શનિવારે 11 વાગ્યે બંધ કરી દેવાયા હતા. જો કે ફરીવાર પાણીની આવક વધતા ડેમના 28 દરવાજા ખોલવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
હાલમાં ડેમમાં જળસપાટી 131.32 મીટર છે. પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. નર્મદામાં પાણી છોડવામાં આવી શકે તેવી સંભાવનાને જોતા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે.