નવી દિલ્હીઃ મોદી સરકારના વિદેશ મંત્રી એસ.જયશંકર રાજ્યસભા સાંસદ તરીકે ગુજરાતમાંથી ચૂંટાયા છે. ગુજરાતમાં ચૂંટાયા તેને લઈ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાતમાંથી વિદેશ મંત્રી  તરીકે ચૂંટાયેલા એસ.જયશંકરની રાજ્યસભાની ચૂંટણીને પડકારતી અરજીની સુનાવણી સ્થગિત કરી દીધી છે.


પદ્મશ્રી એર્વોડથી સમ્માનિત એસ.જયશંકર રાજ્યસભાથી મંત્રી બન્યા હતા. 2015થી 2018 સુધી તેઓ વિદેશ સચિવ રહ્યા હતા. તેમનો કાર્યકાળ દેશ સહિત વિદેશ સંબંધિત કાર્યો માટે ઘણો જ મહત્વનો રહ્યો. ડોકલામ સમસ્યાનો અંત લાવવા માટે તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.



યુપીએની સરકારમાં પણ તેમણે મહત્વનું કામ કર્યું હતું. ભારત-અમેરિકાની ઐતિહાસિક ન્યૂક્લિઅર ડીલ વખતે ભારતીય દળ તરફથી તેઓ સદસ્ય હતા. આ કરારની શરૂઆત વર્ષ 2005માં થઈ હતી. જે માટે ઘણા વર્ષો લાગ્યા. વર્ષ 2007માં મનમોહન સિંહની આગેવાનીમાં નિમાયેલી યૂપીએ સરકારના સમયે આ કરાર થયો હતો.

15 જાન્યુઆરી 1955માં દિલ્હીમાં પેદા થયેલા જય શંકરના પિતા સુબ્રમણ્યમ પોતે પણ ભારતીય સ્ટ્રેટજીના મામલાના જાણકાર રહી ચૂક્યા છે. દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ એમફિલ અને પીએચડીની ડિગ્રી જેએનયુથી લીધી છે.

Gujarat Panchayat Election 2021 Results: કોંગ્રેસે કઈ બેઠક પર 110 વોટથી કબજો કરતાં ભાજપમાં છવાયો સન્નાટો, જાણો વિગત

પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે ? જાણો મોદી સરકારની શું છે યોજના.....

Gujarat Panchayat Election Result 2021 : C.R. પાટીલના ગઢમાં AAPનો પ્રવેશ, Suratમાં કઈ બેઠક પર AAPનાં ક્યાં ઉમેદવાર જીત્યાં ?