અરવલ્લી: અરવલ્લીના ધનસુરાના ખડોલ પાસે નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન 7 યુવકો ડુબી જતાં બેનાં મોત નીપજ્યા છે. આ બે યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને એકને બચાવાયો છે. કેસરપુરાના ગણેશનુ વિસર્જન કરવા જતી વખતે આ ઘટના બની હતી.




એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. તરવૈયાઓ દ્વારા ચાર યુવાનોની શોધખોળ હાથ ધરાઈ છે.



ઘટનાની જાણ થતાં એસપી, ટીડીઓ, મામલતદાર સહીતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોચ્યાં છે. ઘટનાસ્થળે આસપાસના વિસ્તારના લોકો ઉમટી પડ્યા છે. ત્યારે દુર્ઘટનાના પગલે યુવકોના પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે.