જામનગરઃ જિલ્લાના જામજોધપુરમાં 16 વર્ષીય સગીરા પર દુકાનદારે બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે. સગીરાને વેપારીએ દુકાનમાં બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે સગીરાએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં આરોપી મયુર ડાભી સામે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે આરોપીની અટકાયત કરી છે. હવે કોવિડ ટેસ્ટ આવ્યા બાદ આરોપીની ધરપકડ કરાશે.