Gujarat Weather update:રાજ્યના હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી કરી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીમાં ધરખમ વધારો થશે.


 રાજ્યના હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી કરી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીમાં ધરખમ વધારો થશે. હવામાન વિભાગે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની કરી આગાહી કરી છે.


રાજ્યના હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી કરી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીમાં ધરખમ વધારો થશે. હવામાન વિભાગે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની કરી આગાહી કરી છે.મધ્ય,ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કાતિલ ઠંડી પડવાનો અનુમાન વ્યક્ત કર્યો છે. રાજ્યમાં 5 દિવસ બાદ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના જોવા મળી રહી છે. તો 3 દિવસ બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ શકે છે.


નલિયામાં કાતિલ ઠંડીની શરુઆત થઇ ચૂકી છે. શીત નગરીનો પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો છે. નલિયાનું લઘુતમ તાપમાન 8.2 ડીગ્રી નોંધાયું છે. ભુજનું 13.6 અને કંડલાનું તાપમાન 15.1 ડિગ્રી નોંધાયું છે.


Fertilizer Subsidy: ખેડૂતોને મોટી રાહત, ખાતર સબસિડી ₹2.5 લાખ કરોડ રહેવાની અપેક્ષા, જાણો શું કહ્યું FAI


Fertilizer Subsidy 2022-23: ભારતીય ખેડૂતો માટે ઉપલબ્ધ ખાતર સબસિડી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં ખાતર પર સબસિડીનો વ્યાપ વધારવા જઈ રહી છે. આ વર્ષે આ સબસિડી રૂ. 2.3 થી વધારીને 2.5 લાખ કરોડ થવાની ધારણા છે.


તે જ સમયે, આગામી નાણાકીય વર્ષમાં 25 ટકાનો મોટો ઘટાડો થઈ શકે છે. ફર્ટિલાઇઝર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (FAI) એ આ સંદર્ભમાં કેટલાક આંકડા રજૂ કર્યા છે. તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે ભારતના ખેડૂતોને ખાતર પરની સબસિડી કેટલી વધારી શકાય છે.


FAI એ શું કહ્યું


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફર્ટિલાઇઝર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા (FAI)નું કહેવું છે કે 2023-24માં વૈશ્વિક બજારમાં ખાતરની કિંમતોમાં નરમાઈને કારણે સરકારની સબસિડીમાં ઘટાડો થઈ શકે છે. FAIએ જણાવ્યું હતું કે સરકારની સબસિડી હોવા છતાં ઉદ્યોગોને ખૂબ જ ઓછું માર્જિન મળી રહ્યું છે. આ સાથે વૈશ્વિક બજારમાં કિંમતોમાં વધારાને કારણે સ્થાનિક બજારમાં ખાતરના છૂટક ભાવ પર દબાણ વધી રહ્યું છે. આ ક્ષેત્રમાં રોકાણ ઝડપથી ઘટી રહ્યું છે. દેશમાં રવિ સિઝન માટે ખાતરનો પૂરતો જથ્થો છે અને હાલમાં યુરિયા, ડીએપી જેવા ખાતરોની કોઈ અછત નથી.


કાચા માલના ભાવમાં કોઈ દબાણ નથી


FAIના પ્રમુખ કેએસ રાજુનું કહેવું છે કે સબસિડીમાં વધારો થવાથી ખેડૂતોને વધેલી કિંમતોમાંથી રાહત મળશે અને તેઓ વૈશ્વિક બજારમાં ખાતર અને કાચા માલની વધેલી કિંમતોના દબાણનો સામનો નહીં કરે. ગયા નાણાકીય વર્ષમાં ખાતર સબસિડી રૂ. 1.62 લાખ કરોડ હતી.


25 ટકા ઘટવાની ધારણા છે


FAI બોર્ડના સભ્ય પીએસ ગેહલૌતનું કહેવું છે કે 2023માં ખાતર સબસિડીમાં 25 ટકાનો મોટો ઘટાડો થઈ શકે છે. હાલની સબસિડીની સરખામણીમાં તે લગભગ 65 હજાર કરોડ રૂપિયા હશે. વૈશ્વિક બજારમાં કાચા માલ અને ખાતરના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. તે વાયદા બજાર પર જ આધાર રાખે છે.


કારણ શું છે


ખાતરના ભાવમાં સતત નરમાઈની અસર વૈશ્વિક બજારમાં જોવા મળી રહી છે. એપ્રિલ 2021માં ડીએપીની કિંમત પ્રતિ ટન $555 હતી, જે જુલાઈ 2022માં વધીને $945 થઈ ગઈ. હવે તે ઓક્ટોબરમાં ઘટીને $722 પર આવી ગયો છે. જુલાઈ 2022માં ફોસ્ફોરિક એસિડની કિંમત વધીને 1718 ડોલર પ્રતિ ટન થઈ ગઈ હતી, જે હાલમાં 1355 ડોલર પ્રતિ ટન છે. બીજી તરફ, ડિસેમ્બર 2021માં આયાતી યુરિયાની કિંમત ટન દીઠ $1,000 હતી, જે હવે $600 પ્રતિ ટન પર પહોંચી ગઈ છે.