દેપાડા ગામના આશિષ મનુભાઈ પરમાર, જયેશ મનુભાઈ પરમાર અને પિતરાઈ ભાઈ મયુર સુરેશ પરમાર દાહોદ ઉતરાયણની ખરીદી માટે જઈ રહ્યા હતાં તે સમયે ઝાલોદ તરફ આવતી ટ્રકે કાળીમહુડી ગામે બાઈઈને ટક્કર મારી હતી. ટ્રકે ટક્કર માર્યા બાદ બાઈક પર સવાર ત્રણેય યુવકો 20 ફૂટ સુધી ઘસડાયા હતા જેના કારણે ત્રણેય યુવાનના ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
આ બનાવમાં ઝાલોદ આઈટીઆઇમાં અભ્યાસ કરતાં આશિષ, લીમડી કુમાર શાળામાં છઠ્ઠા ધોરણમાં ભણતા જયેશ અને ધાનપુરની એકલવ્ય મોડેલ શાળાના છઠ્ઠા ધોરણમાં ભણતાં પિતરાઈ ભાઈ મયુરનું મોત થયું હતું.
ધાનપુર એકલવ્ય મોડેલ શાળામાંઅભ્યાસ કરતો મયુર ઉતરાયણનો પર્વ કરવા માટે શનિવારે જ રજા લઇને ઘરે આવ્યો હતો. જેથી પિતરાઇ ભાઇઓએ ઉતરાયની ખરીદી માટેનો પ્લાન બનાવ્યો હતો.