ગાંધીનગરઃ એક બાજુ સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર છે તો હવે ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ અને બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.


બનાસકાંઠાની વાત કરીએ તો અમીરગઢ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. બાલુન્દ્રા સહિતના વિસ્તારોમાં કમોમસમી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદને કારણએ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કોરોના સંક્રમણ સામે હવે આ કુદરતી આફત સામે આવી છે.


કોરોનાની આફતથી લોકો પરેશાન છે. ત્યારે શનિવારે આસમાની આફતને કારણે લોકોના જીવ અધ્ધર થયા છે. એકાએક ભરઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો હતો.


બીજા બાજુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. છેલ્લા 8 દિવસમાં સૌરાષ્ટ્રમાં અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત થયા છે. જો હજુ પણ કમોમસી વરસાદ પડે તો સૌથી વધારે નુકસાન કેરીના પાકને થશે. સાથે જ કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને પણ નુકસાન થઈ શકે છે.


આ વર્ષે મગફળી, તલ, મગ અને બાજરા સહિતની જણસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. જોકે મગફળીના પાકને વરસાદથી ફાયદો થાય છે જ્યારે બાકીના તમામ ઉનાળુ પાકને નુકશાન થઈ શકે છે.


આ સમયે માવઠું થાય તો પાછોતરા ઘઉં,વરીયાળી સહિતના પાકોને નુકશાન થવાનો ભય ઉભો થયો છે. બીજી બાજુ મિશ્ર ઋતુને કારણે છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ બિમારીઓમાં વધારો થઈ રહયો છે.


અનેક લોકો શરદી, ઉધરસ,તાવ જેવી બિમારીઓમાં સંપડાયેલા છે. હવામાનના પલટાને કારણે વાયરલ બિમારીઓ વધવાની આશંકા રહેલી છે.જેના કારણે કોરોનાના કેસોમાં પણ  ઉછાળો આવી શકે છે.


ગુજરાતના આ શહેરમાં કોરોનાનો રાફડો ફાટ્યો, એક જ દિવસમાં નવા 5411 કેસ, એક્ટિવ કેસનો આંકડો 35 હજારને પાર


ગુજરાતના આ શહેરમાં સરકારી હોસ્પિટલ ફૂલ થતા દર્દીઓ રઝળ્યા, હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાગી લાઈન


રાજકોટમાં ઝડપાયો નકલી ડોક્ટર, રેસ્ટોરન્ટમાં કોરોના દર્દીઓને આપતો સારવાર અને.....