ગાંધીનગર:  ગુજરાતમાં કોરોના વાયરસના (Gujarat Corona Cases) કેસ સતત ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં કોરોના વાયરસના કેસ શૂન્ય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા  19  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 27 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં આજે 6 લાખથી વધુ લોકોનુ રસીકરણ કરવામાં આવ્યું છે.


રાજ્યમાં શનિવારે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 56 હજાર 369, સુરત શહેરમાં 49 હજાર 694, બનાસકાંઠમાં 41 હજાર 439, સાબરકાંઠામાં 25 હજાર 754 અને દાહોદમાં 20 હજાર 388, રાજકોટ કોર્પોરેશનમાં 14 હજાર 746, અમરેલીમાં 16 હજાર 128, ગીર સોમનાથ 14 હજાર 144, કચ્છમાં 20 હજાર 195 નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવી.  


શનિવારે એક જ દિવસમાં સૌથી વધુ લોકોને કોરોનાની રસી અપાઈ છે. આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 6,01,720 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 3,61,96,017 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


હાલમાં અત્યાર સુધી 196 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 04 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 192 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,747 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10077 લોકોનાં મોત થઇ ચુક્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 27 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે.  રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,747 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.75 ટકા જેટલો છે.
 
આજે ક્યાં નોંધાયા કેસ


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4,  સુરત કોર્પોરેશનમાં 4,  વડોદરા કોર્પોરેશનમાં 4, અમરેલી 2,ગાંધીનગર કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1, જામનગર 1,  રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા 1 કેસ નોંધાયો હતો.


ક્યાં ન નોંધાયો એકપણ કેસ


આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ,  ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા,   કચ્છ, મહિસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા, નવસારી,  પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત,  સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં એક પણ કોરોનાનો કેસ નથી નોંધાયો.