Unseasonal Rain: દેશના અનેક રાજ્યોમાં શિયાળો વધવા લાગ્યો છે. રાજધાની દિલ્હીમાં પારો ટૂંક સમયમાં નીચે જવાનો છે, જ્યારે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે, ત્યારબાદ ઠંડીમાં વધુ વધારો થશે. જોકે ગુજરાતમાં ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24થી 28 દરમિયાન સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે. જ્યારે 25 અને 26 નવેમ્બર એમ બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.


હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ સંભાવના છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ,વડોદરામાં આગાહી છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં પણ વરસાદની આગાહી છે.


આ ઉપરાંત રાજકોટ,સુરેન્દ્રનગર,બોટાદ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી,ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી છે. પૂર્વીય પવનોથી આવતા ભેજના કારણે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. માવઠાની સાથે સાથે 25 નવેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે.


આગામી 24 કલાકમાં ક્યાં ક્યાં વરસાદ પડશે


સ્કાયમેટ વેધર અનુસાર, આગામી 24 કલાક દરમિયાન આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કેરળના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે, જ્યારે કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય કર્ણાટક, રાયલસીમા, લક્ષદ્વીપ, આંદામાન-નિકોબારમાં હળવો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ પહાડોમાં પણ ઠંડીમાં વધારો થયો છે. શ્રીનગરમાં તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. આ સિવાય હિમાચલ પ્રદેશમાં હાલમાં સૌથી ઠંડુ સ્થળ મનાલીમાં છે, જ્યાં લઘુત્તમ તાપમાન 3.4 ડિગ્રી છે.


દેશમાં આગાહી


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 21 થી 25 નવેમ્બર દરમિયાન રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થશે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે મંગળવારે (21 નવેમ્બર) રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેવાની શક્યતા છે. સોમવારે તાપમાન 27 ડિગ્રી હતું. આ સિવાય હવામાન વિભાગે 22 થી 24 નવેમ્બર દરમિયાન મહત્તમ તાપમાન 26 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેવાની આગાહી કરી છે. સોમવારે દિલ્હી અને એનસીઆરનો હવા ગુણવત્તા સૂચકાંક ખૂબ જ ખરાબ શ્રેણીમાં રહ્યો હતો. સ્કાયમેટ વેધર અનુસાર, પવનની ઝડપ વધવાને કારણે દિલ્હી અને એનસીઆરમાં 21 નવેમ્બરથી હવા ગુણવત્તા સૂચકાંકમાં સુધારો થશે.


શૂન્ય અને 50 ની વચ્ચે AQI 'સારું' છે, 51 થી 100 'સંતોષકારક' છે, 101 થી 200 'મધ્યમ' છે, 201 થી 300 'નબળું' છે, 301 થી 400 'ખૂબ નબળું' છે અને 401 થી 450 'નબળું' છે 'ગંભીર' ગણાય છે. જ્યારે AQI 450 થી વધી જાય છે, ત્યારે તેને 'ખૂબ ગંભીર' શ્રેણીમાં ગણવામાં આવે છે.