આંધ્રપ્રદેશમાં પણ ગૌહત્યાના મુદ્દે દલિતોને માર મારવાની ઘટના સામે આવી છે. આંધ્રપ્રદેશના અમલાપુરમમાં કથિત ગૌરક્ષકોએ બે દલિતોને ગૌરક્ષકોએ ઝાડ સાથે બાંધીને મારપીટ કરી. ઘટના 8 ઓગસ્ટની છે. જ્યારે વિજળીનો કરંટ લગાવાથી મૃત પામેલી ગાયનું ચામડી કાઢી રહેલા 2 દલિતોને 8 લોકોએ માર માર્યો.


આ માર મારવાને કારણે બંને દલિતોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ પોલીસે પણ કાર્રવાઇ આગળ ધરી છે. જો કે આ ઘટના સામે આવતા દલિતોને માર મારનાર લોકોમાં વિરોધ જોવા મળી  રહ્યો છે. અને લોકો રસ્તા પર આવીને તેમના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જો કે ઉનાની ઘટના બાદ પ્રધાનમંત્રીએ નિવેદન આપ્યુ હતુ કે, ગૌરક્ષકોના નામે અત્યાચાર બંધ થવો જોઇએ.પરંતુ પ્રધાનમંત્રીએ આપેલા નિવેદનને થોડાક દિવસોમાં જ આવી ઘટના સામે આવી છે.