સર્જિકલ સ્ટ્રાઇક પર બોલતા સૈન્યના પૂર્વ વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, મને લાગે છે કે સર્જિકલ સ્ટ્રાઇકની ખૂબ ચર્ચા થઇ રહી છેચ. સ્ટ્રાઇક કરવી જરૂરી હતી અને અમે કરી દીધી. હવે રાજનેતાઓને એ અંગે પૂછવું જોઇએ કે સર્જિકલ સ્ટ્રાઇક પર કેટલી રાજનીતિ કરવી જોઇએ.
તેમણે કહ્યું કે, અમેરિકન આર્મીએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઓસામા બિન લાદેનને માર્યો હતો. તેનો અર્થ એ નથી કે ત્યારબાદ આતંકવાદ ખત્મ થઇ ગયો છે. સર્જિકલ સ્ટ્રાઇક એક ઓપરેશન હતું એવા ઓપરેશન સમયની માંગના હિસાબે થાય છે. પાકિસ્તાને પઠાણકોટ અને ઉરીમાં આતંકી હુમલાઓ કર્યા હતા. જેનો જવાબ આપવા માટે સર્જિકલ સ્ટ્રાઇક કરવી જરૂરી હતી. એટલા માટે એ વિચારવું ખોટું છે કે સર્જિકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાન સરખું રહેશે અને આતંકવાદ ખત્મ થઇ જશે. એક સવાલના જવાબમાં જનરલે કહ્યું કે, આ સર્જિકલ સ્ટ્રાઇક ગુપ્ત રાખવામાં આવે તે ઠીક છે. આ સર્જિકલ સ્ટ્રાઇક ઓછામાં સમયમાં નાના ટાર્ગેટ બનાવવાની રણનીતિ છે જેનો ઉદ્દેશ્ય પાકિસ્તાન સૈન્યને ભવિષ્યના આતંકવાદી હુમલાઓને સમર્થન કરતા રોકવા જેવા સામરિક ઉદેશ્ય નહોતો.