ABP Ideas of India Live: હરીશ સાલ્વેએ જણાવ્યું કેમ ન્યાય પ્રણાલીમાં સમય લાગે છે, કહ્યું- જજોની નિમણૂક પર વાત કરવાની જરૂર છે

આજે શનિવારે એબીપી આઇડિયાઝ ઑફ ઇન્ડિયા'માં નવા મહેમાનો સાથે ચર્ચા ચાલુ રહેશે. બીજા દિવસના તમામ મહાનુભાવોના વિચારો લાઈવ જોવા માટે ABPLiveની મુલાકાત લો.

gujarati.abplive.com Last Updated: 26 Mar 2022 09:04 PM

બ્રેકગ્રાઉન્ડ

Ideas Of India: એબીપી નેટવર્કના આઈડિયાઝ ઓફ ઈન્ડિયાની પ્રથમ આવૃત્તિ ગઈકાલે શુક્રવારે મુંબઈમાં શરૂ થઈ. પ્રથમ દિવસે કૈલાશ સત્યાર્થી, ગૌર ગોપાલ દાસ, સોનમ વાંગચુક, એન.આર નારાયણ મૂર્તિ, નીતિન ગડકરી, તાપસી...More

હરીશ સાલ્વેએ આ વાત કહી

ભારતના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ અને જાણીતા વકીલ હરીશ સાલ્વે એબીપી આઈડિયાઝ ઓફ ઈન્ડિયાના સમિટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ન્યાય પ્રણાલીમાં ગંભીરતાથી સુધારાની જરૂર છે. તેમણે કહ્યું કે જો કોઈ પિટિશન ફાઇલ કરે છે અને તેમાં 10 વર્ષનો સમય લાગે છે, તો તમે એવું ન કહી શકો કે સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે ન્યાય પ્રણાલીનું કામ યોગ્ય છે જ્યારે ન્યાય વહેલી તકે મળી શકે.